ભારતીય રિઝર્વ બેંકે જૂના નિયમોમાં સુધારો, 200 અને 500 રૂપિયાની નોટો નેપાળ લઈ જવાની મંજૂરી આપી
કાઠમંડુ, નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.) ભારતની મધ્યસ્થ બેંકે નેપાળમાં ઉચ્ચ મૂલ્યની ભારતીય ચલણી નોટોના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.જેનાથી વધુ લવચીક સિસ્ટમ શરૂ થઈ છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, નેપાળી રૂપિયા અને ભ
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી, 4 ડિસેમ્બર

(હિ.સ.) ભારતની મધ્યસ્થ બેંકે નેપાળમાં ઉચ્ચ મૂલ્યની ભારતીય ચલણી નોટોના ઉપયોગ

પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.જેનાથી વધુ લવચીક સિસ્ટમ શરૂ થઈ છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, નેપાળી રૂપિયા

અને ભારતીય રૂપિયાના પરિભ્રમણ સંબંધિત જૂના નિયમોમાં સુધારો કર્યો છે.

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (નિકાસ અને આયાત) સુધારા નિયમન 2025 જારી કરીને, રિઝર્વ બેંકે

જોગવાઈ કરી છે કે, ભારતીય ચલણ (100 રૂપિયાથી વધુ મૂલ્યની નોટો સિવાય) ભારતની બહારથી નેપાળ અને

ભૂટાનમાં લઈ જઈ શકાય છે અને લાવી શકાય છે. સુધારેલી જોગવાઈઓ અનુસાર, ભારતથી નેપાળ

અથવા ભૂટાન મુસાફરી કરતા મુસાફરો હવે 25,000 ભારતીય રૂપિયા સુધી લઈ જઈ શકશે.

તેવી જ રીતે, નેપાળ અને ભૂટાનથી ભારત મુસાફરી કરતા લોકો પણ ભારતીય ચલણ (100 રૂપિયાથી વધુ

મૂલ્યની નોટો સિવાય) લાવી શકશે. નેપાળ અથવા ભૂટાનથી ભારતમાં આવતા મુસાફરોને 100 રૂપિયાથી વધુ, 25,000 ભારતીય રૂપિયા

સુધીની મોટી ચલણી નોટો લાવવાની પરવાનગી છે. નેપાળી અને ભૂટાની ચલણી નોટો ભારતની

બહાર નેપાળ અથવા ભૂટાનમાં પણ લઈ જઈ શકાય છે અને ત્યાંથી ભારત પાછી લાવી શકાય છે.

જો કે, આ સુવિધા

પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો માટે ઉપલબ્ધ નથી.

આ પહેલા, નેપાળમાં મોટા મૂલ્યની ભારતીય ચલણી નોટોના પરિભ્રમણ પર

પ્રતિબંધ હતો. નેપાળ રાષ્ટ્ર બેંક દ્વારા સમાન વ્યવસ્થા કર્યા પછી નવી જોગવાઈ

અમલમાં આવશે, જેનો લાભ ભારત

અને નેપાળ વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ અને શ્રમિકોને લાભ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande