
નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ.સ.) તમિલનાડુના મદુરાઈ પ્રશાસને થીરુપ્પરંકુન્દ્રમમાં
જૂના દીપથૂન સ્તંભ પર કાર્તિગઈ દીપમ (પવિત્ર દીવો) પ્રગટાવવાના મદ્રાસ હાઈકોર્ટના
મદુરાઈ બેન્ચના આદેશને, સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મદુરાઈ પ્રશાસને પવિત્ર
દીવો પ્રગટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશને પડકારતી અરજી, દાખલ કરી છે. અરુલમિગુ
સુબ્રમણ્યમ સ્વામી મંદિર,
જેની નજીકમાં એક
દરગાહ છે, તે થીરુપ્પરંકુન્દ્રમ
ટેકરી પર આવેલ છે.
મદુરાઈ પ્રશાસને સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના આદેશને
પડકાર્યો છે. ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના આદેશ સામે, મદુરાઈ પ્રશાસને અરજી ફગાવી
દીધી હતી. ડિવિઝન બેન્ચની બરતરફી બાદ, સિંગલ બેન્ચે 4 ડિસેમ્બરની સાંજે દીવા પ્રગટાવવાનો નિર્દેશ આપ્યો. મદુરાઈ
પ્રશાસને દીવા પ્રગટાવવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો અને સુપ્રીમ કોર્ટનો સંપર્ક
કર્યો.
હિન્દુસ્થાન સમાચાર/સંજય
હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ