



- ભરૂચ જિલ્લા આહિર સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો
- સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુ આગળ આવે તેવું માર્ગદર્શન અપાયું
- સમાજના લોકોને વ્યસનથી દૂર રહે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો
ભરૂચ, 7 ડિસેમ્બર (હિ.સ.) : ભરૂચ જીલ્લા આહીર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સંસ્કાર શુભારંભ ભરૂચના સપ્તદીપ મેરેજ હોલ ભોલાવ ખાતે યોજાયો હતો. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જીલ્લા આહિર સમાજના ભાઈ બહેનો અને વિધાથીૅઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિરે સમાજના આર્થિક શારીરિક અને શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી અને આવનાર બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાડી સમાજનું ભવ્ય સંકુલ નિર્માણ પામશે. આહિર સમાજ એકત્ર થઈ પોતાનું સંકુલ બનાવવાની તૈયારીઓ બતાવી હતી. સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ આવે તે માટે જરૂરી માર્ગદર્શન અને જરૂરી સુવિધાઓ સમાજના આગેવાનો વડીલો દ્વારા આપવામાં આવી હતી. સમાજના તેજસ્વી વિધાથીૅઓનો સત્કાર સમારંભ કર્યું હતું. વિશેષ સમાજના પ્રમુખ દિનેશ આહિર દ્વારા પણ સમાજના લોકોને વ્યસનથી દૂર રહે તેવું પણ અનુરોધ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, મહામંત્રી બાલુ આહીર, ઉપપ્રમુખ લક્ષ્મણ આહીર ખજાનચી નટવર આહીર, આહિર સમાજના માજી પ્રમુખ સુરેશ આહિર, દક્ષિણ ગુજરાત આહીર સમાજના ઉપ પ્રમુખ ડાહ્યા આહીર સહિત સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ