જુનાગઢ 17 ફેબ્રુઆરી (હિ.સ.). ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ટ્રાફિક નિયમનના હેતુસર ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઉંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનો માટે તા.૨૨-૨-૨૦૨૫ થી તા.૨૬-૨-૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ જાહેરનામુ બહાર પાડી આ પ્રતિબંધ મૂક્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ