સંસ્કારદીપ વિદ્યાલય અંકલેશ્વર ખાતે  વિજ્ઞાન પ્રસાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો
•ચાર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોએ વિજ્ઞાન પ્રસાર કાર્યક્રમમાં માર્ગદર્શન મેળવ્યું •દુનિયા ઘણી આગળ વધી છે બદલાવ લાવવાનો છે જે દિશામાં આપણે આગળ વધવાનું છે ધનંજય રાવલ •વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લે તે માટે પ્રયાસ કરીએ માટે ભાષા શુદ્ધિ પણ જરૂરી એ
સંસ્કારદીપ વિદ્યાલય અંકલેશ્વર ખાતે  વિજ્ઞાન પ્રસાર સ્નેહ મિલન  કાર્યક્રમ યોજાયો હતો


સંસ્કારદીપ વિદ્યાલય અંકલેશ્વર ખાતે  વિજ્ઞાન પ્રસાર સ્નેહ મિલન  કાર્યક્રમ યોજાયો હતો


સંસ્કારદીપ વિદ્યાલય અંકલેશ્વર ખાતે  વિજ્ઞાન પ્રસાર સ્નેહ મિલન  કાર્યક્રમ યોજાયો હતો


•ચાર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોએ વિજ્ઞાન પ્રસાર કાર્યક્રમમાં માર્ગદર્શન મેળવ્યું

•દુનિયા ઘણી આગળ વધી છે બદલાવ લાવવાનો છે જે દિશામાં આપણે આગળ વધવાનું છે ધનંજય રાવલ

•વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લે તે માટે પ્રયાસ કરીએ માટે ભાષા શુદ્ધિ પણ જરૂરી એન કે નાવડીયા

ભરૂચ 17 ફેબ્રુઆરી (હિ.સ.). સંસ્કારદીપ વિદ્યાલય અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ચાર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોનું વિજ્ઞાન પ્રસાર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રસાર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર, ઝઘડીયા , વાલિયા , હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્કારદીપ ટ્રસ્ટ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા સંસ્કારદીપ સ્કુલ ખાતે ચાર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોનું વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે અંકુર હોબી સેન્ટર અમદાવાદના ધનંજય રાવલે ઉદાહરણો સહિત વિજ્ઞાન જેવા જટિલ વિષયને આસાન રીતે અને વિદ્યાર્થીઓને રુચિ પડે તેમ કેવી રીતે ભણાવવો જોઈએ તે રસપ્રદ રીતે પોતાના વ્યક્તવ્યમાં સમજાવ્યું હતું. નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે. જેમાં ભણાવવાની પદ્ધતિમાં ફેરફાર આવી ગયો છે, આપણે તેને અપનાવવાનો છે.જ્યારથી આપણે આઝાદ થયા ત્યારથી એક જ પદ્ધતિ ચાલી રહી છે. જયારે દુનિયા બહુ જ બદલાઈ ગઈ છે. જયારે આપણા પાઠ્ય પુસ્તકોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બદલાવ લાવવાનો છે જે દિશામાં આપણે આગળ વધવાનું છે.

સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટી એન .કે. નવાડીયાએ માર્ગદર્શન આપતા શિક્ષણની અંદર વધુ સારું કાર્ય કઈ રીતે થઇ શકે, વિદ્યાર્થીઓની વિજ્ઞાનમાં રૂચિ વધે તેવા પ્રયાસ કરવા તે આ કાર્યક્રમનો હેતુ છે.ગુજરાતમાં જામનગર જિલ્લા પછી સૌથી વધુ ઔદ્યોગિક રોકાણ ધરાવતો ભરૂચ જિલ્લો છે. પરંતુ 10 માં ધોરણના પરિણામો ઉપર જોઈએ તો 34 જિલ્લાઓમાં આપણો 23 મો નંબર છે. યોગ્ય પરિણામ નહિ આવવા પાછળના અનેક કારણો છે. આપણે આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લે તે માટે પ્રયાસ કરીએ. તે માટે ભાષા શુદ્ધિ પણ જરૂરી છે. આ માટે શિક્ષણના સ્તરને પાયાથી સુધારવું પડે. તે માટે પ્રાથમિકના શાળાના આચાર્યોની સાથે આ વિષયમાં મંથન કરી આપણે પ્રથમ 10 માં સ્થાન આવે તેવા પ્રયાસ કરીએ.

સંસ્કારદીપ સ્કુલમાં જીવન કૌશલ્ય કેન્દ્ર છે. જેમાં ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અલગથી તૈયાર કરાયો છે. તેમજ સાયન્સ પાર્ક તૈયાર કરાયો છે. જેમાં ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં નહિ પરંતુ ખુલ્લામાં પ્રયોગો કરી શકે તેવી વ્યવસ્થા છે. જેથી વિદ્યાર્થીઓની રુચિ વધે અને તેમને વાંચવું ના પડે સાથે સાથે ક્રિએટીવ લર્નિંગ સેન્ટરની પણ વ્યવસ્થા છે. એસ્ટ્રોલોજી સેન્ટર પણ તૈયાર છે. આગામી સમયમાં એસ્ટ્રોલોજી લેબનું પણ આયોજન છે. આપણા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આ બધા પ્રકલ્પો નિઃશુલ્ક ખુલ્લા મુક્યા છે. શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓને બહાર લઇ જવાને બદલે અહીં પ્રવાસ માટે લઇ આવો , જેથી વિદ્યાર્થીઓ બધું જુએ , સમજે અને શીખે.ભરૂચ જિલ્લામાં વધતા જતા ઔદ્યોગિકરણમાં બાળકો કામદાર બનીને ન રહી જતા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્મમાં ગાંધીજીનું જેમણે નજીકથી નિરીક્ષણ કર્યું હતું તેવા નારાયણ દેસાઈની જન્મશતાબ્દી ઉજવાઈ રહી છે ત્યારે ચાર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોને ચંદ્રેશભાઇ દેવાણી તરફથી નારાયણભાઈ દેસાઈ લિખિત જીગરના ચીરા પુસ્તક શાળાની લાઈબ્રેરી માટે ભેટ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એ આઈ એ પ્રમુખ હિંમત શેલડીયા , નોટીફાઈડ ચેરમેન અમુલખ મોરડીયા, ચંદુ કોઠીયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande