પાટણ, 19 ફેબ્રુઆરી (હિ.સ.). સિદ્ધપુર શહેર અને તાલુકામા બંધ મકાનોના દરવાજાના લોકના અડા કાપી ચોરી કરતી ગેન્ગ સક્રિય બની છે ત્યારે જાને ચોર મચાવે શોર જેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે.
સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામમા મંગળવાર ની મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. ગામમા આવેલા 8 બંધ મકાનોના દરવાજાના લોક કરવાનાં અડા કાપીને ઘરમા પ્રવેશી તિજોરીઓ સાફ કરી નાખી હતી.અંદાજિત લાખો રૂપિયા ની ચોરી થઈ હોવાનુ જાણવા મળ્યું હતું.તમામ બંધ મકાન માલિકો સુરત ખાતે રહેતા હોઈ ચોરી ની ઘટના ની જાણ થતા આવી ગયા હતા અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી હતી.
અગાઉ પણ શહેરમા આવેલ ઘનશ્યામ સોસાયટી અને ઉપલીશેરી વિસ્તારમા પણ ચોરો એ આ રીતે જ દરવાજાના અડાના નકુચા કાપીને ચોરીને અંજામ આપ્યો હતો ત્યારબાદ હવે ચોરોએ હવે ગ્રામ્ય વિસ્તારને નિશાન બનાવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર