ગીર સોમનાથ નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ પરીક્ષા અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ
ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.). રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નેશનલ મીન્સ ક્રમ મેરિટ સ્કોલરશીપ (NMMS)ની પરીક્ષા તા.૨૨/૦૨/૨૦૨૫ના રોજ ૧૨:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ અસા
ગીર સોમનાથ નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ પરીક્ષા અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ


ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.). રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નેશનલ મીન્સ ક્રમ મેરિટ સ્કોલરશીપ (NMMS)ની પરીક્ષા તા.૨૨/૦૨/૨૦૨૫ના રોજ ૧૨:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના પરીક્ષા આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવ્યાં છે.

બિલ્ડીંગ કંડકટરઓ અસામાજીક તત્વોના ત્રાસ/ભય વિના જાહેર પરીક્ષાનુ સંચાલન કરે તે જરૂરી હોવાથી તેમજ આ પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે પરીક્ષાર્થીઓના ભાવી ઉપર અસર ન પડે તે માટે કોપીરાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈગ મશીન દ્વારા ન થાય તથા તે પરીક્ષાખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધાત્મક આદેશો કરાયાં છે.

જાહેરનામા અનુસાર જિલ્લા શિક્ષણાધિકારી ગીર સોમનાથે નકકી કર્યા મુજબના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના વિસ્તારમાં તા.૨૨/૦૨/૨૦૨૫ના રોજ ૧૧:૦૦ થી ૧૬:૦૦ કલાકના સમય દરમિયાન નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવુ નહી તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોનો ઉપયોગ કરવો નહી. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા સ્થળે ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપી રાઈટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઈગ મશીન દ્વારા કોઈએ કોપી કરવી નહી. પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ ઉપરના તમામ પ્રકારના સરકારી સ્ટાફએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવુ કૃત્ય કરવું નહી. તેમજ ઈલેટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, કેલ્કયુલેટર વિગેરે તથા પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો પરીક્ષા સ્થળમાં લઈ જવા નહી કે તેનું વહન કરવું નહી કે કરવા મદદ કરવી નહી અને તેવી કોઈ પણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવુ નહી. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત પ્રવેશ કરવો નહી. પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને/કરાવીને/કરવામાં મદદગારી કરીને અથવા ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવુ કૃત્ય કરવું નહી.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુન્હો સાબિત થયે છ માસની સાદી કેદ અથવા રૂ.૨૫૦૦/- નો દંડ અથવા બંનેની સજા થઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande