નવી દિલ્હી, 27 મે (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદ દ્વારા ભારત સામે પ્રોક્સી યુદ્ધ નહીં પણ એક યોજનાબદ્ધ યુદ્ધ લડી રહ્યું છે. તેમણે પાડોશી દેશને ચેતવણી આપી હતી કે તેનો જવાબ પણ એ જ રીતે આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ગુજરાતની શહેરી વિકાસ યાત્રાના 20 વર્ષ પૂર્ણ થવાના સમારોહમાં હાજરી આપી હતી અને 'શહેરી વિકાસ વર્ષ 2025'નો પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સિંધુ જળ સંધિ ભારતના હિતોને ઘણી રીતે અસર કરી રહી છે. હમણાં અમે તેને મુલતવી રાખ્યું છે. પાકિસ્તાનમાં આ અંગે ગભરાટ ફેલાયો છે. તેમણે કરારની શરતો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે ભારત દરેકનું કલ્યાણ ઇચ્છે છે. તેમણે કહ્યું કે, 1960 ના સિંધુ જળ સંધિમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની નદીઓ પર બનેલા બંધોને સાફ કરવામાં આવશે નહીં. તેના દરવાજા 60 વર્ષથી ખોલવામાં આવ્યા ન હતા, પરંતુ અમે તેમને થોડી સાફ કરવાનું શરૂ કર્યું, થોડા દરવાજા ખોલ્યા અને પાકિસ્તાનમાં પૂર આવ્યું. અમે હજુ સુધી સંપૂર્ણ કામગીરી શરૂ પણ કરી નથી અને તેઓ પહેલેથી જ નર્વસ છે.
તેમણે કહ્યું કે, 1947માં સરદાર પટેલ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને પાછું મેળવવાના પક્ષમાં હતા. પ્રધાનમંત્રીએ અફસોસ વ્યક્ત કર્યો કે જો 1947 માં કાશ્મીરમાં ઘૂસેલા મુજાહિદ્દીનોને ત્યાં ખતમ કરી દેવામાં આવ્યા હોત, તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થાત.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સી.પી. સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ