-બદ્રીનાથ વર્મા
નવી દિલ્હી, 27 મે (હિ.સ.) જ્યારે હિન્દુ સ્ત્રીઓ માટે વૈવાહિક આનંદનું
પ્રતીક સિંદૂર દારૂગોળામાં ફેરવાઈ જાય છે, ત્યારે તે દુશ્મનને ઘૂંટણિયે પાડી દે છે. આખી દુનિયાએ આ
જોયું છે. પહેલગામમાં 26 મહિલાઓના સિંદૂરનો નાશ કરનારાઓને એવો પાઠ મળ્યો છે કે,
તેમની આવનારી પેઢીઓ પણ ધ્રૂજી જશે. 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનના, દરેક કણને સિંદૂરનું વાસ્તવિક મૂલ્ય
જણાવ્યા પછી, પહેલી વાર
ગુજરાતના ભૂજ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 1971ની બહાદુર મહિલાઓએ
ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ એ જ બહાદુર મહિલાઓ છે, જેમણે 1971ના ભારત અને
પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન, ગુજરાતના ભૂજમાં ભારતીય વાયુસેનાના ક્ષતિગ્રસ્ત
રનવેને માત્ર 72 કલાકમાં, રાતોરાત રિપેર કરીને ભારતીય સેનાને મદદ કરી હતી.
ભુજના માધાપરામાં રહેતી બહાદુર મહિલાઓએ, પ્રધાનમંત્રીનું
સ્વાગત તો કર્યું જ, પરંતુ તેમને
હૃદયપૂર્વક આશીર્વાદ પણ આપ્યા. ઓપરેશન સિંદૂરની સફળતાથી ખુશ થઈને, માધાપરની આ
બહાદુર મહિલાઓએ, પ્રધાનમંત્રી મોદીને સિંદૂરનો છોડ પણ ભેટમાં આપ્યો. સિંદૂરના
છોડને ભેટ તરીકે સ્વીકાર્યા પછી, પ્રધાનમંત્રીએ બહાદુર મહિલાઓને કહ્યું કે,” તેઓ આ છોડ
પ્રધાનમંત્રી નિવાસસ્થાને વાવશે. આ છોડ હંમેશા પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં, વડના
ઝાડની જેમ રહેશે. સિંદૂરનો છોડ રજૂ કરનાર બહાદુર મહિલાઓમાં કાનબાઈ હિરાણી (80), શામબાઈ ખોખની
(83), લાલબાઈ ભુરિયા
(82) અને સામુ ભંડેરી (75) હતા. માધાપરની ત્રણસો સ્વયંસેવક મહિલાઓ સાથે, તેમણે ભુજ
એરબેઝના રનવેનું સમારકામ, 72 કલાકથી ઓછા સમયમાં કર્યું, જે 1971માં
પાકિસ્તાની બોમ્બમારાથી નુકસાન થયું હતું. ત્યારબાદ, ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનોએ, તે જ રનવે
પરથી ઉડાન ભરી અને પાકિસ્તાનને હરાવ્યું હતુ જેના પર અજય દેવગણની ‘ભુજ-ધ પ્રાઈડ”
નામની એક મુવી પણ આવી હતી જે આ વિષય પર બનેલી છે. તે ફિલ્મના ડાયરેક્ટ પણ ગુજરાતી
છે, અને તેમના નાની આ રન વે બનાવવાનો એક ભાગ હતા. આ ફિલ્મમાં તે રોલ સોનાક્ષી
સિન્હા એ ભજવ્યો હતો.
જોકે, હિન્દુ ધર્મમાં, સિંદૂર એ દરેક પરિણીત સ્ત્રીનું એક મહત્વપૂર્ણ શણગાર છે.
વાળના ભાગ પર પડે તે પહેલાં તે ખૂબ લાંબો પ્રવાસ કરે છે. પરિણીત સ્ત્રીઓનો આ શણગાર,
એક ખાસ છોડના બીજમાંથી બનાવવામાં આવે છે. સિંદૂરની આ યાત્રાની વાર્તા ખૂબ જ રસપ્રદ
છે. આ સિંદૂર વૃક્ષને અંગ્રેજીમાં, કુમકુમ ટ્રી અથવા કમીલા ટ્રી કહેવામાં આવે છે.
આ મેલોટસ ફિલિપેન્સિસ એ સ્પર્જ પરિવારનો છોડ છે. તેમાં તેજસ્વી લાલ રંગના ફળો ઉગે
છે. આમાંથી સિંદૂર અથવા લિપસ્ટિક પાવડર અને પ્રવાહી સ્વરૂપમાં બનાવવામાં આવે છે.
સિંદૂરનો છોડ, સામાન્ય નથી પણ ખૂબ જ ખાસ છે. તે દરેક જગ્યાએ જોવા મળતું નથી. તે
ફક્ત અમુક વિસ્તારોમાં જ ઉગે છે. તે ફક્ત મહારાષ્ટ્ર, ગુજરાત અને
હિમાચલના કેટલાક પસંદગીના વિસ્તારોમાં જ જોવા મળે છે. જોકે, તે દક્ષિણ
અમેરિકામાં મોટી સંખ્યામાં જોવા મળે છે.
અન્ય છોડની જેમ, આ પણ એક એવો છોડ છે, જેના ફળમાંથી સિંદૂર મેળવવામાં આવે છે.
તેને લિક્વિડ લિપસ્ટિક ટ્રી પણ કહેવામાં આવે છે. સિંદૂરનું ઝાડ 20 થી 25 ફૂટ ઊંચું
હોય છે. ઝાડના ફળમાંથી નીકળતા તેજસ્વી લાલ રંગના બીજને, પીસીને કુદરતી સિંદૂર
બનાવવામાં આવે છે. ન તો બનાવનારને કોઈ નુકસાન થાય છે અને ન તો સ્ત્રીઓને જે પોતાના
માથામાં લગાડતી વખતે કોઈ નુકશાન કરે છે. કેમેલીયાના ઝાડ પર ફળો ગુચ્છોમાં ઉગે છે, જે શરૂઆતમાં લીલા
રંગના હોય છે. પરંતુ પાછળથી આ ફળનો રંગ લાલ થઈ જાય છે. આ ફળોની અંદર સિંદૂર હોય
છે. તે સિંદૂર નાના દાણાના રૂપમાં હોય છે, જેને પીસીને બીજી કોઈ પણ વસ્તુ સાથે ભેળવ્યા વિના સીધો
ઉપયોગ કરી શકાય છે. તે શુદ્ધ છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. તેની કોઈ
આડઅસર નથી. સિંદૂરનો ઉપયોગ ફક્ત વાળના ભાગને ભરવા માટે જ નહીં, પરંતુ ખાદ્ય
પદાર્થોને લાલ રંગ આપવા માટે પણ થાય છે.
એટલું જ નહીં, તેનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. તેનો ઉપયોગ લિપસ્ટિક, હેર ડાઈ, નેઇલ પોલીશ જેવી
ઘણી વસ્તુઓમાં થાય છે. વાણિજ્યિક ઉપયોગમાં લાલ શાહી, રંગ અને સાબુ બનાવવાનો સમાવેશ થાય છે. આ છોડનો
ઉપયોગ જ્યાં પણ લાલ રંગનો ઉપયોગ કરી શકાય છે ત્યાં થાય છે. આફ્રિકન જર્નલ ઓફ બાયો
મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો
છે. તેના ઔષધીય ગુણધર્મો પર પ્રકાશિત થયેલા સમીક્ષા અહેવાલમાં જણાવાયું છે કે,”
બીજમાંથી મેળવેલ કુદરતી રંગદ્રવ્ય, જેને બિક્સિન કહેવાય છે, તેના ઔષધીય ગુણધર્મો માટે જવાબદાર છે. તેનો ઉપયોગ ખોરાક, ફાર્માસ્યુટિકલ, કોસ્મેટિક અને
કાપડ ઉદ્યોગોમાં વ્યાપકપણે થાય છે. આ છોડના વિવિધ ભાગોનો ઉપયોગ ઝાડા, તાવ, ત્વચા ચેપ વગેરે
રોગોની સારવારમાં થાય છે. વાસ્તવમાં, કૃત્રિમ સિંદૂર હળદર, ચૂનો અને પારાને યોગ્ય પ્રમાણમાં ભેળવીને બનાવવામાં આવે છે.
પરંતુ કુદરતી સિંદૂર કુદરત દ્વારા જ આપવામાં આવે છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ