પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય મંત્રી ગડકરીને, જન્મદિવસની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 27 મે (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ તેમના એક્સહેન્ડલ પર લખ્યું, ભારતમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના વિકાસમાં મહત્વ
નીતિન


નવી દિલ્હી, 27 મે (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેન્દ્રીય

મંત્રી નીતિન ગડકરીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ તેમના

એક્સહેન્ડલ પર લખ્યું, ભારતમાં

મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા કેન્દ્રીય મંત્રી

નીતિન ગડકરીજીને, જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન તેમને લાંબુ અને સ્વસ્થ

જીવન પ્રદાન કરે.

ભાજપની વેબસાઇટ અનુસાર, ગડકરી એક સક્ષમ પ્રશાસક છે. જેમની પાસે દૂરંદેશી અને નવીન

અભિગમ છે. તે પરિણામો પ્રાપ્ત કરવામાં માને છે. નાગપુરમાં જન્મેલા ગડકરી તેમની

માતાથી ખૂબ પ્રભાવિત હતા. તેમને શરૂઆતના જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને

રાષ્ટ્ર નિર્માણના તેમના મિશનમાં જોડાવાની પ્રેરણા પણ મળી. જૂન 1975માં કટોકટીનો

સમય તેમના જીવનમાં એક વળાંક હતો. તેમણે કાયદાની પ્રેક્ટિસ કરવાને બદલે, દેશની

સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું.

તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા

તરીકે, રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તેઓ ભાજપની યુવા પાંખ જનતા યુવા

મોરચામાં, જોડાયા. ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ગડકરી 1999-2૦૦5 સુધી, મહારાષ્ટ્ર વિધાન

પરિષદમાં વિરોધ પક્ષના નેતા હતા. મહારાષ્ટ્રમાં જાહેર બાંધકામ મંત્રી તરીકે, તેમણે મુંબઈ-પુણે

એક્સપ્રેસવેનું નિર્માણ કરાવ્યું.

તેમની બે સિદ્ધિઓ ખાસ કરીને નોંધપાત્ર છે. તેમણે માળખાગત

વિકાસમાં જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) ની વિભાવનાનો પાયો નાખ્યો. આ ખ્યાલ બીઓટી (બિલ્ડ ઓપરેટ

ટ્રાન્સફર) મોડેલમાં પાયો ધરાવે છે. સમય મર્યાદામાં મેગા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા એ

પણ તેમની પ્રાથમિકતામાં હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande