પંચકુલામાં દેહરાદૂનથી આવેલા એક વેપારી પરિવારના વડા સહિત, સાત સભ્યોએ આત્મહત્યા કરી
ચંડીગઢ, નવી દિલ્હી, 27 મે (હિ.સ.) હરિયાણાના પંચકુલામાં, દેહરાદૂનથી ઉત્તરાખંડના વેપારી પ્રવીણ મિત્તલે તેમના પરિવારના છ અન્ય સભ્યો સાથે આત્મહત્યા કરી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે. આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી પંચકુલામાં ભાડાના મકાનમાં રહેત
પંચકુલામાં દેહરાદૂનથી આવેલા એક વેપારી પરિવારના વડા સહિત, સાત સભ્યોએ આત્મહત્યા કરી


ચંડીગઢ, નવી દિલ્હી, 27 મે (હિ.સ.) હરિયાણાના પંચકુલામાં, દેહરાદૂનથી ઉત્તરાખંડના વેપારી પ્રવીણ મિત્તલે તેમના પરિવારના છ અન્ય સભ્યો સાથે આત્મહત્યા કરી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે. આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી પંચકુલામાં ભાડાના મકાનમાં રહેતો હતો. આત્મહત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું કહેવાય છે.

પ્રવીણ મિત્તલ દેહરાદૂનમાં ટૂર એન્ડ ટ્રાવેલનું કામ કરતા હતા. તેમને આ વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હતું. આ કારણે આખો પરિવાર પરેશાન હતો. એવું કહેવાય છે કે, પ્રવીણ મિત્તલે તેમના પરિવારના સભ્યો સાથે સોમવારે રાત્રે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની વાર્તા સાંભળી હતી. રાત્રે લગભગ 11:00 વાગ્યે પરત ફરતી વખતે, પરિવારે સેક્ટર 27 નજીક કારમાં ઝેર ગળી લીધું. રસ્તા પર પાર્ક કરેલી કાર વિશે કેટલાક રાહદારીઓએ પોલીસને જાણ કરી.

પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. કારની અંદરનું દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે છ લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. બેભાન હાલતમાં મળી આવેલા પ્રવીણ મિત્તલને સેક્ટર-6 સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પુષ્ટિ આપી હતી કે સારવાર દરમિયાન બધાના મોત થયા છે. આ માહિતી મળતાં જ ડીસીપી હિમાદ્રી કૌશિક, ડીસીપી (કાયદો અને વ્યવસ્થા) અમિત દહિયા અને ફોરેન્સિક ટીમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા.

પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં પરિવારની આત્મહત્યાનું કારણ ધંધામાં ખોટ હોવાનું જણાય છે. મૃતકોમાં પ્રવીણ મિત્તલ, પિતા દેશરાજ મિત્તલ, તેમની માતા, પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે, પીડિતોના પરિવાર અને સંબંધીઓને જાણ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande