સોનિયા ગાંધીએ, શાંતિ વનમાં પંડિત નેહરુના સ્મારક પર તેમની પુણ્યતિથિ પર ફૂલો અર્પણ કર્યા, ખડગે અને રાહુલે શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, 27 મે (હિ.સ.) કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, આજે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા શાંતિ વન પહોંચ્યા હતા. તેમણે આ પ્રસંગે પંડિત નેહરુને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્
સોનિયા ગાંધી શાંતિવન પહોંચ્યા


નવી દિલ્હી, 27 મે (હિ.સ.) કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, આજે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા શાંતિ વન પહોંચ્યા હતા. તેમણે આ પ્રસંગે પંડિત નેહરુને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે,ઠ દેશના ભવિષ્યને ઘડવામાં પંડિત નેહરુની મહત્વપૂર્ણ ભૂમિકા છે.ઠ કોંગ્રેસના એક્સ એકાઉન્ટમાં શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને તેમની 61મી પુણ્યતિથિ પર દિલ્હીમાં તેમના સ્મારક શાંતિ વન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ, પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે એક્સ હેન્ડલ પર લખ્યું, ભારતને શૂન્યથી શિખર સુધી પહોંચાડનાર, આધુનિક ભારતના સર્જક, લોકશાહીના નિર્ભય રક્ષક, ભારતને વૈજ્ઞાનિક, આર્થિક, ઔદ્યોગિક અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કરાવનાર, દેશને વિવિધતામાં એકતાનો સંદેશ આપનાર, આપણા પ્રેરણા સ્ત્રોત પંડિત જવાહરલાલ નેહરુજીની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ. તેમણે કહ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુના યોગદાન વિના 21મી સદીના ભારતની કલ્પના પણ કરી શકાતી નથી.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ, પંડિત નેહરુને યાદ કર્યા. તેમણે એક્સ પર લખ્યું, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. મજબૂત અને સમાવેશી ભારતના સ્વપ્ન સાથે, નેહરુજીએ તેમના દૂરંદેશી નેતૃત્વથી સ્વતંત્ર ભારતનો મજબૂત પાયો નાખ્યો. સામાજિક ન્યાય, આધુનિકતા, શિક્ષણ, બંધારણ અને લોકશાહીની સ્થાપનામાં તેમનું યોગદાન અમૂલ્ય છે. હિંદના જવાહરનો વારસો અને તેમના આદર્શો હંમેશા આપણને માર્ગદર્શન આપશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande