ભારત-બાંગ્લાદેશ સરહદે માનકાચર પર તણાવ, બીએસએફ દ્વારા હવામાં ગોળીબાર
માનકાચર (આસામ), નવી દિલ્હી 27 મે (હિ.સ.). મંગળવારે સવારે આસામના ઠાકુરનબાડી વિસ્તારમાં 14 બાંગ્લાદેશી નાગરિકોના પરત ફરવા દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ, હવામાં ગોળીબાર કર્યા બાદ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ ફેલાયો હતો. માહિત
ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ


માનકાચર (આસામ), નવી દિલ્હી 27 મે (હિ.સ.). મંગળવારે સવારે આસામના ઠાકુરનબાડી વિસ્તારમાં 14 બાંગ્લાદેશી નાગરિકોના પરત ફરવા દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ, હવામાં ગોળીબાર કર્યા બાદ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ ફેલાયો હતો.

માહિતી અનુસાર, જ્યારે બીએસએફ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલા 14 બાંગ્લાદેશીઓને પાછા મોકલવાની પ્રક્રિયામાં હતું ત્યારે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ (બીજીબી) એ દરમિયાનગીરી કરી હતી. આ અથડામણ આંતરરાષ્ટ્રીય સરહદની ઝીરો લાઇન નજીક થઈ હતી જ્યાં બીજીબી જવાનોનો બીએસએફ સાથે ઉગ્ર દલીલ થઈ હતી અને તેઓ સરહદના સંવેદનશીલ ભાગ તરફ આગળ વધ્યા હતા.

મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો પણ શૂન્ય રેખા પર એકઠા થયા, ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. પરિસ્થિતિને કાબુમાં લેવા અને અથડામણ ટાળવા માટે, બીએસએફ એ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું.

ગોળીબાર બાદ ભીડ વિખેરાઈ ગઈ અને પરિસ્થિતિ અમુક હદ સુધી કાબુમાં આવી ગઈ. ભારતીય અધિકારીઓએ, બીજીબીના હસ્તક્ષેપને પ્રોટોકોલનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને આ મુદ્દો ઔપચારિક રીતે ઉઠાવવાની શક્યતા વ્યક્ત કરી છે. ,

હિન્દુસ્થાન સમાચાર/શ્રીપ્રકાશ/અરવિંદ રાય/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande