પેરાગ્વેના રાષ્ટ્રપતિની, 2-4 જૂન દરમિયાન ભારત મુલાકાત
નવી દિલ્હી, 27 મે (હિ.સ.). પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પાલાસિઓસ, 2 થી 4 જૂન દરમિયાન ભારતની રાજકીય મુલાકાત લેશે. આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. રાષ્ટ્રપતિ પેના, મુંબઈની
પેરાગ્વેના રાષ્ટ્રપતિની, 2-4 જૂન દરમિયાન ભારત મુલાકાત


નવી દિલ્હી, 27 મે (હિ.સ.). પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પાલાસિઓસ, 2 થી 4 જૂન દરમિયાન ભારતની રાજકીય મુલાકાત લેશે. આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. રાષ્ટ્રપતિ પેના, મુંબઈની પણ મુલાકાત લેશે અને ત્યાંના નેતાઓ અને ઉદ્યોગપતિઓને મળશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગ વધારવાની તક પૂરી પાડશે. પેરાગ્વેના રાષ્ટ્રપતિની આ બીજી ભારત મુલાકાત છે. પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ પેનાના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. આ ઉપરાંત પેના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. તેઓ પણ તેમના માનમાં એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ, રાષ્ટ્રપતિ પેનાને મળશે.

મુંબઈમાં, રાષ્ટ્રપતિ પેના રાજ્યના રાજકીય નેતૃત્વ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રના નેતાઓને મળશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે ભારત અને પેરાગ્વે વચ્ચે રાજકીય સંબંધો 13 સપ્ટેમ્બર 1961 ના રોજ સ્થાપિત થયા હતા. ત્યારથી, બંને દેશો વચ્ચે ઉષ્માભર્યા સંબંધો વિકસી રહ્યા છે. વેપાર, કૃષિ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ અને માહિતી ટેકનોલોજી જેવા ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધ્યો છે. પેરાગ્વે લેટિન અમેરિકામાં ભારત માટે એક મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. પેરાગ્વેમાં ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ઘણી ભારતીય કંપનીઓ સક્રિય છે. આ ઉપરાંત, કેટલીક પેરાગ્વેયન કંપનીઓ ભારતમાં સંયુક્ત સાહસો દ્વારા કાર્યરત છે. આનાથી બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોમાં વધારો થયો છે.

હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande