ભાજપે, સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરને નમન કર્યા
નવી દિલ્હી, 28 મે (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરને તેમની જન્મજયંતિ પર નમન કર્યા. ભાજપે આજે સવારે ટ્વિટર પર લખ્યું, ભારત માતાના બહાદુર પુત્ર, એક મજબૂત રાષ્ટ્રવાદી નેતા, એક શક્તિશાળી વક્તા અને સમર્પિત સમાજ
વીર સાવરકર જયંતી


નવી દિલ્હી, 28 મે (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરને તેમની જન્મજયંતિ પર નમન કર્યા. ભાજપે આજે સવારે ટ્વિટર પર લખ્યું, ભારત માતાના બહાદુર પુત્ર, એક મજબૂત રાષ્ટ્રવાદી નેતા, એક શક્તિશાળી વક્તા અને સમર્પિત સમાજ સુધારક વિનાયક દામોદર સાવરકરને તેમની જન્મજયંતિ પર કોટી કોટી નમન.

વીર સાવરકર પહેલા દેશભક્ત છે, જેમણે એડવર્ડ સાતમાના રાજ્યાભિષેક સમારોહની ઉજવણી કરનારાઓને ત્ર્યંબકેશ્વરમાં મોટા પોસ્ટરો લગાવીને ગુલામીની ઉજવણી ન કરવા કહ્યું હતું. ઇતિહાસમાં એ પણ નોંધાયેલું છે કે, વીર સાવરકરે 07 ઓક્ટોબર 1905 ના રોજ પુણેમાં વિદેશી કપડાંની પહેલી હોળી સળગાવી હતી. એટલા માટે જો તપસ્યા, બલિદાન અને સહનશીલતા જેવા ભવ્ય ભારતીય મૂલ્યોને સ્વના પ્રકાશમાં ગૂંથીને હિન્દુત્વની પ્રતિમા બનાવવામાં આવે, તો તે પ્રતિમાનું નામ વીર વિનાયક દામોદર સાવરકર હશે. વીર સાવરકર એ જ ક્રાંતિકારી છે, જેમને ક્રાંતિના ગુના બદલ બ્રિટિશ સરકારે કાલા-પાણીની સજા ફટકારી હતી અને 50 વર્ષ માટે આંદામાનની સેલ્યુલર જેલમાં ધકેલી દીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande