નવી દિલ્હી, 28 મે (હિ.સ.). રાષ્ટ્રપતિ ભવન 29 અને 30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે, સાહિત્ય અકાદમી (સંસ્કૃતિ મંત્રાલય) ના સહયોગથી એક સાહિત્ય પરિષદનું આયોજન કરશે.
રાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, 29 મે ના રોજ સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને દેશભરના સાહિત્યકારોની હાજરીમાં આ પરિષદનું ઉદ્ઘાટન કરશે.
બે દિવસીય પરિષદમાં વિવિધ વિષયો પર વિવિધ સત્રો હશે અને દેવી અહિલ્યાબાઈ હોલકરની ગાથા સાથે સમાપન થશે. તેમાં 'કવિ સંમેલન-સિધે દિલ સે', 'ભારતનું નારીવાદી સાહિત્ય: નવા માર્ગો બનાવવું', 'સાહિત્યમાં પરિવર્તન વિરુદ્ધ પરિવર્તનનું સાહિત્ય' અને 'વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સાહિત્યની નવી દિશાઓ' જેવા સત્રો હશે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ