નવી દિલ્હી, 28 મે (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આગામી બે દિવસમાં ચાર રાજ્યોની મુલાકાત લેશે અને અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને બિહાર થઈને ઉત્તર પ્રદેશ આવશે.
પ્રધાનમંત્રી ગુરુવારે (29 મે) સિક્કિમની મુલાકાત લેશે. તેઓ સવારે 'સિક્કિમ@50: જ્યાં પ્રગતિ ઉદેશ્ય થી મળે છે અને પ્રકૃતિ વિકાસને પ્રોત્સાહન આપે છે' કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે અને હાજર લોકોને સંબોધિત કરશે.
આ પછી, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. અહીં તેઓ બપોરે અલીપુરદ્વારમાં અલીપુરદ્વાર અને કૂચ બિહાર જિલ્લાના શહેર ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બિહારની પણ મુલાકાત લેશે અને સાંજે પટના એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.
બીજા દિવસે (30 મે) સવારે, પ્રધાનમંત્રી બિહારના કરકટમાં 48,520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.
આ પછી, પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે જ્યાં તેઓ બપોરે કાનપુર શહેરમાં લગભગ ૨૦,૯૦૦ કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ