રાષ્ટ્રપતિ પાસેથી પદ્મશ્રી પ્રાપ્ત કર્યા પછી મમતા શંકર ભાવુક થઈ ગયા, કહ્યું - આ ભગવાનનો આશીર્વાદ છે
-કાર્તિક મહારાજે કહ્યું - પરોપકાર થી વધુ ઉર્જા મળે છે કોલકતા, નવી દિલ્હી, 28 મે (હિ.સ.). પ્રખ્યાત અભિનેત્રી અને નૃત્યાંગના મમતા શંકરને, મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં 'પદ્મશ્રી' પુરસ્કાર પ્રાપ્ત થયો. પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી તેઓ અભિભૂત છે. હિન્દુસ્
પ્રખ્યાત અભિનેત્રી અને નૃત્યાંગના મમતા શંકર


-કાર્તિક મહારાજે કહ્યું - પરોપકાર થી વધુ ઉર્જા મળે છે

કોલકતા, નવી દિલ્હી, 28 મે (હિ.સ.). પ્રખ્યાત અભિનેત્રી અને નૃત્યાંગના મમતા શંકરને, મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં 'પદ્મશ્રી' પુરસ્કાર પ્રાપ્ત થયો. પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી તેઓ અભિભૂત છે. હિન્દુસ્થાન સમાચાર સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, આ એક એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. તેમણે કહ્યું કે, મારા માટે આ ભગવાનનો આશીર્વાદ છે. હું ખૂબ ખુશ છું, પરંતુ મારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું વ્યક્ત કરી શકતી નથી. ભારત સરકારે મને આ પુરસ્કાર માટે મારી પસંદગી કરી, તે મારી કલ્પના બહાર હતું. મેં ક્યારેય તેના વિશે વિચાર્યું ન હતું, કે ક્યારેય તેની અપેક્ષા નહોતી રાખી.

મમતા શંકરે કહ્યું કે, તેમણે તેમના જીવનમાં ક્યારેય કોઈ યોજના બનાવી ન હતી અને કદાચ તેથી જ તેમને આટલું મોટું સન્માન મળતાં તેઓ અભિભૂત થઈ ગયા હતા. મમતા શંકરે તેમના કરિયરમાં 50 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આમાં 'દૂરત્વ' (1978), 'એક દિન પ્રતિદિન' (1979), 'ખારીજ' (1982), 'ગૃહ યુદ્ધ' (1982), 'શખા પ્રશાખા' (1991), 'અગન્તુક' (1991) અને તાજેતરની ફિલ્મ 'પ્રજાપતિ' (2023)નો સમાવેશ થાય છે.

જાન્યુઆરીમાં આ સન્માનની જાહેરાત થયા પછી તરત જ તેમણે કહ્યું કે, મને મૃણાલ દા (મૃણાલ સેન), માણિક દા (સત્યજીત રે) અને બુદ્ધદેવ દાસગુપ્તા યાદ આવે છે, જેમણે મારી કારકિર્દીના શરૂઆતના તબક્કામાં મને માર્ગદર્શન આપ્યું હતું. મમતા શંકર ઉપરાંત, પશ્ચિમ બંગાળના અન્ય પ્રતિષ્ઠિત લોકોને પણ આ પ્રસંગે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. આમાં ઉદ્યોગપતિ સજ્જન ભજંકા, શિક્ષણશાસ્ત્રી નાગેન્દ્ર નાથ રોય અને સંત સ્વામી પ્રદીપ્તાનંદ (કાર્તિક મહારાજ)નો સમાવેશ થાય છે. આ લોકોને વ્યવસાય, કલા, સાહિત્ય, શિક્ષણ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્તિક મહારાજે કહ્યું કે, જે લોકો ભગવા વસ્ત્રો પહેરે છે તેઓ પુરસ્કારો કે રાજ્ય સન્માનની ઝંખના કરતા નથી. જોકે, આ સન્માન આપણા સંગઠન 'ભારત સેવાશ્રમ સંઘ' ને તેના પરોપકારી કાર્યને આગળ વધારવામાં મદદ કરશે. અન્ય સન્માનિત વ્યક્તિઓએ પણ આ પ્રસંગને ગર્વપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે, આ સન્માન તેમને નમ્ર બનાવે છે. નોંધનીય છે કે, ભારત સરકારે આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ગંગા / સંતોષ મધુપ / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande