નવી દિલ્હી, 29 મે (હિ.સ.) સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને,
આજે તેમના સ્મારક કિસાન ઘાટ ખાતે યાદ કરવામાં આવ્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે,
કિસાન ઘાટ ખાતે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરતા
તેમણે કહ્યું કે,” ગ્રામીણ ભારત અને ખેડૂતો પ્રત્યે ચૌધરી ચરણ સિંહનો પ્રેમ
ક્યારેય ભૂલી શકાય નહીં.”
ઉપરાષ્ટ્રપતિ ધનખડે કિસાન ઘાટ ખાતે, પહોંચેલા પત્રકારો અને
ફોટોગ્રાફરોને કહ્યું કે,” ચૌધરી ચરણ સિંહે સ્વતંત્રતા પહેલા ભારતમાં અને તે પછી
પણ ખેડૂતો માટે કામ કર્યું હતું. કૃષિ ક્ષેત્રમાં કામ કરતા ખેડૂતોને માલિકી
અપાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા.”
ધનખડે ખેડૂતોને વિનંતી કરી કે,” તેઓ ફક્ત ખેતી સુધી
મર્યાદિત ન રહે. તેમણે પશુપાલન વ્યવસાયમાં પણ જોડાવું જોઈએ.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ