નીલગિરી, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નીલગિરી જિલ્લામાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને વૃક્ષો પડવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના પર્યટન વિભાગે નીલગિરીનાં ઘણા પર્યટન સ્થળો બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. દરમિયાન, હવામાન વિભાગે કોઈમ્બતુર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
નીલગિરીઓમાં ભારે વરસાદને કારણે જિલ્લામાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓ બની છે, જેના કારણે ઘણા ગામો વચ્ચે અવરજવર ખોરવાઈ ગઈ છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તમિલનાડુ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, થેની અને તિરુનેલવેલી સહિત છ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તમિલનાડુના પર્યટન કમિશનરે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, બે દિવસ માટે તમામ પર્યટન સ્થળો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે ઘણા જિલ્લા અધિકારીઓને ચેતવણી જારી કરી છે અને લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે. તમિલનાડુ સિંચાઈ વિભાગે જણાવ્યું હતું કે તિરુનેલવેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે, પાપનાસમ પ્રોજેક્ટમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. પ્રોજેક્ટની સંપૂર્ણ ક્ષમતા 5,500 ક્યુસેક છે, પરંતુ હાલમાં પાણીનો સંગ્રહ 2,900 ક્યુસેક છે. જો વરસાદની શરૂઆતમાં પરિસ્થિતિ આવી જ રહેશે, તો લોકો ચિંતામાં છે કે પછી શું થશે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વરાપ્રસાદ રાવ પીવી / વીરેન્દ્ર સિંહ / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ