પ્રધાનમંત્રી મોદી આજે, સિક્કિમને વિવિધ પ્રોજેક્ટ ભેટ આપશે
ગંગટોક, નવી દિલ્હી, 29 મે (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિક્કિમને અનેક પ્રોજેક્ટ ભેટ આપશે. પ્રધાનમંત્રી સિક્કિમ રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગ રૂપે, રાજધાની ગંગટોકના પાલ્જોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્
સિક્કિમ


ગંગટોક, નવી દિલ્હી, 29 મે (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિક્કિમને અનેક પ્રોજેક્ટ ભેટ આપશે. પ્રધાનમંત્રી

સિક્કિમ રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગ રૂપે, રાજધાની ગંગટોકના પાલ્જોર

સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી

સિક્કિમમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. આ

પ્રોજેક્ટ્સમાં દક્ષિણ સિક્કિમના નામચીમાં 750 કરોડ રૂપિયાના ખર્ચે, 500 બેડની જિલ્લા હોસ્પિટલ, પશ્ચિમ સિક્કિમના ગેઝિંગ જિલ્લા હેઠળ પેલિંગમાં, સાંગાછોઇલિંગ

ખાતે એક યાત્રી રોપવે, ગંગટોક જિલ્લા

હેઠળ સાંગાખોલામાં, અટલ અમૃત ઉદ્યાનમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનો

સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી રાજ્યની 50મી વર્ષગાંઠ નિમિત્તે, એક સ્મારક ટપાલ ટિકિટ અને સ્મારક

સિક્કો પણ બહાર પાડશે.

સિક્કિમ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આજે સવારે 4 વાગ્યાથી લોકો

રાજધાનીમાં આવવા લાગ્યા છે. ગંગટોક જિલ્લાના સિનિયર પોલીસ અધિક્ષક તેનઝિંગ લોડેન

લેપ્ચાએ ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે,” પ્રધાનમંત્રીનો કાર્યક્રમ નિર્ધારિત

સમય કરતાં એક કલાક વહેલો શરૂ થશે. સવારે 8 વાગ્યાથી કાર્યક્રમના અંત સુધી, ગંગટોક

મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઇમરજન્સી સેવાઓ અને વીઆઈપી સિવાયના વાહનોની

અવરજવર પર પ્રતિબંધ રહેશે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ

અને કચેરીઓ પણ બંધ રહેશે.”

કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના તમામ છ જિલ્લાઓમાંથી

લોકો, રાજધાની આવી રહ્યા છે. રાજ્યના તમામ 32 મતવિસ્તારમાંથી લોકોને, રાજધાની લાવવા માટે 1,500 થી વધુ વાહનોની

વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો કાર્યક્રમ સ્થળ પાલ્જોર સ્ટેડિયમ તરફ કતારોમાં આગળ

વધી રહ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, પ્રધાનમંત્રી મોદી સવારે 9:05 વાગ્યે બાગડુગરા એરપોર્ટ (પશ્ચિમ બંગાળ) થી

હેલિકોપ્ટર દ્વારા સિક્કિમ જવા રવાના થશે અને લગભગ 9:45 વાગ્યે રાજધાનીના લિબિંગ ખાતે ભારતીય સેનાના

હેલિપેડ પહોંચશે. આ પછી, પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે પાલ્જોર

સ્ટેડિયમ પહોંચશે. સિક્કિમની 21 જાતિઓના સદસ્યો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 પર, વિવિધ

સ્થળોએ તેમના પરંપરાગત પોશાક અને પરંપરાગત સંગીત વાદ્યો સાથે પ્રધાનમંત્રી મોદીનું

સ્વાગત કરવા માટે તૈયાર છે. કાર્યક્રમના સમાપન પછી, પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જવા

માટે રવાના થશે.

હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande