નવી દિલ્હી, 30 મે (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 31 મેના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યા બાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં હાજરી આપશે. આ પ્રસંગે, તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી, લોકમાતા દેવી અહિલ્યા બાઈ પર એક સ્મારક ટપાલ ટિકિટ અને ખાસ સિક્કો બહાર પાડશે. 300 રૂપિયાના સિક્કામાં અહિલ્યા બાઈનું ચિત્ર હશે. આ ઉપરાંત, તેઓ આદિવાસી, લોક અને પરંપરાગત કલામાં યોગદાન આપનાર મહિલા કલાકારને રાષ્ટ્રીય દેવી અહિલ્યા બાઈ પુરસ્કાર અર્પણ કરશે.
પ્રધાનમંત્રી, શિપ્રા નદી પર 860 કરોડ રૂપિયાથી વધુના ઘાટ નિર્માણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ 2028માં યોજાનાર સિંહસ્થ મહાકુંભ સાથે સંબંધિત છે. તેઓ દતિયા અને સતના એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આનાથી ઉદ્યોગ, પર્યટન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં નવી તકો ખુલશે. આ સાથે, ઇન્દોર મેટ્રોના સુપર પ્રાયોરિટી કોરિડોર પર મુસાફરોની સેવાઓ પણ શરૂ થશે. આનાથી ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ