નવી દિલ્હી, 30 મે (હિ.સ.). સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ નવા ન્યાયાધીશો મળ્યા. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ ન્યાયાધીશ એન.વી. અંજારિયા, ન્યાયાધીશ વિજય બિશ્નોઈ અને ન્યાયાધીશ એ.એસ. ચંદુરકરને શપથ લેવડાવ્યા.
ત્રણેય ન્યાયાધીશોને 29 મેના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે, 26 મેના રોજ આ ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. આ ન્યાયાધીશોની નિમણૂક સાથે, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ મંજૂર સંખ્યા 34 થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર/સંજય /મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ