ભાજપ પ્રમુખ નડ્ડા, આજે જયપુરમાં તિરંગા યાત્રાનું નેતૃત્વ કરશે
નવી દિલ્હી, 31 મે (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, આજે બપોરે રાજસ્થાનની રાજધાની જયપુર પહોંચી રહ્યા છે. તેઓ તિરંગા યાત્રાનું નેતૃત્વ કરશે. આ પછી, તેઓ દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત
ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાનો આજનો કાર્યક્રમ


નવી દિલ્હી, 31 મે (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, આજે બપોરે રાજસ્થાનની રાજધાની જયપુર પહોંચી રહ્યા છે. તેઓ તિરંગા યાત્રાનું નેતૃત્વ કરશે. આ પછી, તેઓ દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ઉજવણીમાં ભાગ લેશે. ભાજપે આજે જેપી નડ્ડાનો કાર્યક્રમ તેના X હેન્ડલ પર શેર કર્યો છે.

ભાજપના એક્સ હેન્ડલ મુજબ, નડ્ડા બપોરે 3.10 વાગ્યે તિરંગા યાત્રામાં જોડાશે. આ યાત્રા જયપુરના જવાહર સર્કલથી શરૂ થશે. તે પિંક સિટીના એન્ટરટેઈનમેન્ટ પેરેડાઇઝ ખાતે સમાપ્ત થશે. તિરંગા યાત્રા લગભગ 40 મિનિટમાં પૂર્ણ થશે. આ પછી, પુણ્યશ્લોક રાજમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ પર અહીં કાર્યક્રમ શરૂ થશે. નડ્ડા પોતાના વિચારો અહી રજૂ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande