કલકતામાં અમિત શાહનું ભવ્ય સ્વાગત થયું, આજે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે
કલકતા,નવી દિલ્હી, 1 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે કલકતા પહોંચ્યા છે. તેઓ શનિવારે મોડી રાત્રે નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચ્યા. ભારે વરસાદ છતાં, ભાજપના નેતાઓ અને
શાહ


કલકતા,નવી દિલ્હી, 1 જૂન (હિ.સ.)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે કલકતા પહોંચ્યા છે. તેઓ

શનિવારે મોડી રાત્રે નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચ્યા. ભારે

વરસાદ છતાં, ભાજપના નેતાઓ અને

સમર્થકોએ, તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આજે, એટલે કે રવિવારે, શાહનો એક દિવસનો કાર્યક્રમ છે.જેમાં સંગઠનાત્મક

બેઠકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને મળવાના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

અમિત શાહનું વિમાન શનિવારે રાત્રે લગભગ પોણા અગિયાર વાગ્યે,

કલકતા હવાઈમથક પર ઉતર્યું. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર, વિપક્ષના નેતા

શુભેન્દુ અધિકારી, ભૂતપૂર્વ સાંસદ

લોકેટ ચટ્ટોપાધ્યાય, ધારાસભ્ય અગ્નિમિત્રા

પોલ સહિત, ભાજપના વરિષ્ઠ નેતાઓ પહેલાથી જ હવાઈમથક પર હાજર હતા.

હવાઈમથકમાંથી બહાર આવતાની સાથે જ તેમનો કાફલો થોડીવાર માટે

રોકાઈ ગયો અને તેઓ કારમાંથી નીચે ઉતર્યા અને કાર્યકરોનું સ્વાગત કર્યું. આ પછી, તેઓ બાયપાસ પર

સ્થિત એક હોટલ તરફ રવાના થયા, જ્યાં તેમણે રાત વિતાવી.

શનિવાર સાંજથી કલકતામાં સમયાંતરે વરસાદ પડી રહ્યો હતો.

ક્યાંક મુશળધાર વરસાદ પડ્યો તો ક્યાંક હળવો ઝરમર વરસાદ પડ્યો, પરંતુ આ હવામાને

ભાજપના કાર્યકરોના ઉત્સાહને ઓછો ન કર્યો. હવાઈમથક પર સેંકડો સમર્થકો હાથમાં

પાર્ટીના ધ્વજ અને ઝંડા સાથે એકઠા થયા હતા. ખાસ આકર્ષણનું કેન્દ્ર લાલ અને સફેદ

સાડી પહેરેલી મહિલાઓ હતી.જેઓ પરંપરાગત ઢાક વગાડી રહી હતી. શાહનું વિમાન ઉતરે તે

પહેલાં જ વાતાવરણ ઢાકના ધબકારા અને કાંસારના અવાજથી ગુંજી રહ્યું હતું.

રવિવાર સવારથી જ અમિત શાહની હાજરીમાં ઘણા મહત્વપૂર્ણ

કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ નેતાજી ઇન્ડોર

સ્ટેડિયમ ખાતે આયોજિત સંગઠનાત્મક બેઠક છે.જેમાં રાજ્ય

ભાજપના સાંસદો, ધારાસભ્યો, મંડળ પ્રમુખ, જિલ્લા પ્રભારી

અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે, શાહ આગામી વિધાનસભા

ચૂંટણીઓ (જે હવેથી લગભગ 10 મહિના દૂર છે)

માટેની, રણનીતિ અંગે આ મંચ પરથી માર્ગદર્શિકા આપશે.

નેતાજી ઇન્ડોર ખાતે કાર્યક્રમ પહેલાં, શાહ રાજરહાટ

વિસ્તારમાં સીએસએફએલ (સેન્ટ્રલ

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ સીધા નેતાજી

ઇન્ડોર સ્ટેડિયમ પહોંચશે. સંગઠનાત્મક બેઠક પછી, શાહ સ્વામી વિવેકાનંદના જન્મસ્થળ પર યોજાનારી ધાર્મિક

સભામાં પણ ભાગ લેશે. આ બેઠક ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ સૂત્રોના

જણાવ્યા અનુસાર, “વિવિધ મઠો, મિશન અને

આધ્યાત્મિક સંસ્થાઓના સંતો અને સાધુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજ્ય ભાજપ

નેતૃત્વ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.”

'ઓપરેશન સિંદૂર' પછી અમિત શાહની

બંગાળની આ પહેલી મુલાકાત છે. થોડા દિવસો પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીપુરદ્વારમાં એક જાહેર સભાને

સંબોધિત કરી હતી.જેમાં તેમણે ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી હતી અને

તૃણમૂલ સરકાર પર પણ, નિશાન સાધ્યું હતું. હવે શાહની આ મુલાકાતને ભાજપની 'મિશન બંગાળ' રણનીતિના આગામી

તબક્કાની શરૂઆત માનવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande