અમિત શાહે, કોલકતામાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું
કોલકતા, નવી દિલ્હી, 01 જૂન (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, રવિવારે કોલકાતાના ન્યુ ટાઉનમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ) ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આ અત્યાધુનિક સુવિધા ફક્ત પશ્ચિમ બંગાળમાં જ નહી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ


કોલકતા, નવી દિલ્હી, 01 જૂન (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, રવિવારે કોલકાતાના ન્યુ ટાઉનમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ) ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આ અત્યાધુનિક સુવિધા ફક્ત પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તરપૂર્વ ભારતમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દેશની અગ્રણી સંસ્થાઓમાંની એક છે જે વૈજ્ઞાનિક રીતે ગુનાની તપાસમાં સહાય પૂરી પાડે છે. ન્યુ ટાઉનમાં સ્થિત નવી ઇમારત કાર્યરત થવાથી, ડિજિટલ ફોરેન્સિક્સ, ડીએનએ પરીક્ષણ, ફિંગરપ્રિન્ટ વિશ્લેષણ અને અન્ય તકનીકી કુશળતા સંબંધિત સુવિધાઓ હવે વધુ સુલભ બનશે.

કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રાજ્ય અને ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં ગુનાઓના ઝડપી અને વૈજ્ઞાનિક નિવારણને સુનિશ્ચિત કરવાનો છે. રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને ન્યાયતંત્રને આનો લાભ મળશે.

અગાઉ, કેન્દ્રીય ગૃહ અને સહકારી બાબતોના મંત્રી અમિત શાહ, શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર, વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી, વરિષ્ઠ નેતાઓ અગ્નિમિત્ર પોલ અને રાહુલ સિંહાએ કર્યું હતું.

તેમની મુલાકાતના બીજા દિવસે ગૃહમંત્રી, નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભાજપના નેતાઓ અને અધિકારીઓને સંબોધિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અમિત શાહની આ મુલાકાત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande