નવી દિલ્હી, ૦1 જૂન (હિ.સ.) દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા
લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે બે દર્દીઓના મોત થયા છે.
કર્ણાટકમાં 63 વર્ષીય વૃદ્ધ દર્દીનું મોત થયું હતું.જેમને પહેલાથી જ
અન્ય ગંભીર બીમારીઓ હતી. કેરળમાં ચેપને કારણે, 24 વર્ષની એક યુવતીનું મોત થયું
હતું.
આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જાહેર કરેલા આંકડામાં
જણાવ્યું હતું કે,” દેશમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા 3758 થઈ ગઈ છે. છેલ્લા 24
કલાકમાં ૩6૩ નવા ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે.જ્યારે 1818 દર્દીઓને
સારવાર બાદ રજા આપવામાં આવી છે.”
પ્રાપ્ત માહિતી અનુસાર, “તમામ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા
છે. કેરળમાં સૌથી વધુ 14૦૦ કોરોના કેસ, મહારાષ્ટ્રમાં 485 અને દિલ્હીમાં 436 કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાના 4 નવા પ્રકારો મળી આવ્યા છે.”
આઈસીએમઆર અનુસાર,”દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં કોરોનાના ચાર નવા પ્રકારો ઓળખાયા
છે. આમાં એલએફ.7, એક્સએફજી, જેએન-1 અને એમ્બી.1.8.1નો સમાવેશ થાય
છે. જેએન.1 ભારતમાં સૌથી
સામાન્ય પ્રકાર બની ગયો છે.જે પરીક્ષણ
કરાયેલા 50 ટકાથી વધુ
નમૂનાઓમાં જોવા મળે છે. તે ઓમિક્રોનના બીએ.2.86 નો એક પ્રકાર છે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.
વિશ્વ આરોગ્ય સંગઠને તેને 'વેરીએટ ઓફ ઇન્ટરેસ્ટ' ની શ્રેણીમાં
મૂક્યો હોવા છતાં, તેણે આ પ્રકારોને
ખૂબ ચિંતાજનક માન્યા નથી.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ