કલકતા, નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.)
વિદેશ અને રાજદ્વારી મોરચે પાકિસ્તાનને ઘેરીને વિદેશથી પરત આવેલા, સર્વપક્ષીય
સંસદીય પ્રતિનિધિમંડળના સભ્યો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ બેઠકમાં
સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થનારા નેતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી છે.
ભારતની સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વિદેશમાં સન્માનિત કરવાના તેમના
પ્રયાસોની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
અભિષેક બેનર્જી જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા અને સિંગાપોરની મુલાકાત લેનારા પ્રતિનિધિમંડળનો
ભાગ હતા. જાપાનમાં, તેમણે ટોક્યોમાં
તેમની સમાધિ પર મહાન સ્વાતંત્ર્ય સેનાની રાસબિહારી બોઝને શ્રદ્ધાંજલિ આપી અને તેની
જર્જરિત સ્થિતિ સામે અવાજ ઉઠાવ્યો. એવું માનવામાં આવે છે કે,” તેમના આ પગલા પછી જ, અન્ય
પ્રતિનિધિમંડળોએ વિદેશમાં ભારતીય મહાપુરુષોનું સન્માન કર્યું.”
અભિષેક બેનર્જીના વિદેશમાં ભાષણો, માત્ર ભારતની વિદેશ
નીતિની શક્તિને પ્રતિબિંબિત કરતા નહોતા, પરંતુ ભારતીય સભ્યતા, વિચાર અને સ્વતંત્રતા સંગ્રામના મહિમાને પણ પ્રકાશિત કરતા
હતા. આજે સાંજે 7 વાગ્યે,
પ્રધાનમંત્રી
મોદી આ સાંસદોને તેમના નિવાસસ્થાને, 7 લોક કલ્યાણ માર્ગ પર મળશે. બધાને રાત્રિભોજન
માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
તૃણમૂલ કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે,” તાજેતરમાં
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠકથી પોતાને દૂર રાખ્યા હતા, પરંતુ અભિષેક
બેનર્જી પ્રધાનમંત્રી મોદી સાથે આ બેઠકમાં હાજરી આપશે.“ તેનું કારણ એ છે કે, આ
બેઠકનું આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક મહત્વ છે. આ માટે, પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અભિષેક બેનર્જીનો
સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પછી, તેઓ સંમત થયા.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ