અનંત અંબાણીએ, શ્રી ગંગા સભાને પાંચ કરોડ રૂપિયા આપ્યા
હરિદ્વાર, નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.). દેશના અગ્રણી ઉદ્યોગપતિ અનંત અંબાણીએ, હરિદ્વારની હર કી પૌડીની વ્યવસ્થાપન સંસ્થા, ''શ્રી ગંગા સભા''ને પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ રકમ અંબાણી પરિવાર દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્ય માટે આપવામાં આવી છે.
તન્મય વશિષ્ઠ, તાજેતરમાં મુંબઈમાં અનંત અંબાણીને મળ્યા


હરિદ્વાર, નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.). દેશના અગ્રણી ઉદ્યોગપતિ અનંત અંબાણીએ, હરિદ્વારની હર કી પૌડીની વ્યવસ્થાપન સંસ્થા, 'શ્રી ગંગા સભા'ને પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ રકમ અંબાણી પરિવાર દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્ય માટે આપવામાં આવી છે.

આ સંદર્ભમાં, શ્રી ગંગા સભાના મહાસચિવ તન્મય વશિષ્ઠ, તાજેતરમાં મુંબઈમાં અનંત અંબાણીને મળ્યા હતા. આ દરમિયાન, બંને વચ્ચે ધાર્મિક અને સામાજિક વિષયો પર વિગતવાર ચર્ચા થઈ હતી. હર કી પૌડી ખાતે સભા દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા અને સતત સેવા કાર્યથી પ્રભાવિત થઈને, અનંત અંબાણીએ આ મહત્વપૂર્ણ સહાય રકમ પૂરી પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી ગયા મહિને તેમની પત્ની સાથે હર કી પૌડી આવ્યા હતા. અહીં શ્રી ગંગા સભાના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીએ ગંગા પૂજા પણ કરી હતી. અનંત અંબાણી, શ્રી ગંગા સભાની પ્રવૃત્તિઓથી ખુશ દેખાતા હતા અને તેમણે શ્રી ગંગા સભાને પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ ડૉ. રજનીકાંત શુક્લા/ સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande