પાકિસ્તાન, રશિયા સુધી રેલ સેવાઓનો વિસ્તાર કરશે, 22 જૂનથી કામ શરૂ થશે
ઇસ્લામાબાદ, નવી દિલ્હી,11 જૂન (હિ.સ.) પાકિસ્તાનના રેલ મંત્રી હનીફ અબ્બાસીએ કહ્યું છે કે,” પાકિસ્તાન રશિયા સુધી તેની રેલ સેવાઓનો વિસ્તાર કરવા જઈ રહ્યું છે. આ અંગે 22 જૂનથી કામ શરૂ થશે.” તેમણે મંગળવારે પંજાબ પ્રાંતમાં મુલતાન
પાક


ઇસ્લામાબાદ, નવી દિલ્હી,11 જૂન (હિ.સ.)

પાકિસ્તાનના રેલ મંત્રી હનીફ અબ્બાસીએ કહ્યું છે કે,” પાકિસ્તાન રશિયા સુધી તેની

રેલ સેવાઓનો વિસ્તાર કરવા જઈ રહ્યું છે. આ અંગે 22 જૂનથી કામ શરૂ થશે.” તેમણે મંગળવારે પંજાબ

પ્રાંતમાં મુલતાન રેલ્વેના ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટના કાર્યાલયમાં બોલાવવામાં

આવેલી એક પત્રકાર પરિષદમાં પત્રકારોને આ માહિતી આપી હતી.

ધ નેશન અખબારના સમાચાર અનુસાર, અબ્બાસીએ કહ્યું

કે,” મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, 2027 સુધીમાં રેલ્વે કાફલામાં લગભગ 200 ટ્રેનો

ઉમેરવામાં આવશે. રેલ્વેનું ઝડપથી ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં

પંજાબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બોર્ડ સાથે કરાર કરવામાં આવ્યો છે.”

તેમણે કહ્યું કે,” ટૂંક સમયમાં દેશની તમામ ટ્રેનોમાં, મફત

વાઇફાઇ સેવા પૂરી પાડવામાં આવશે.”

તેમણે કહ્યું કે,” ટ્રેનોને સમયસર ચલાવવા માટે દરેક શક્ય

પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.” રેલ્વે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે,” રેલ્વે એક

વ્યૂહાત્મક સંપત્તિ છે. તેથી, તેને સંપૂર્ણપણે આઉટસોર્સ કરી શકાતી નથી. રેલવેએ 31 મે સુધીમાં તેના

ઇતિહાસમાં સૌથી વધુ આવક મેળવી છે. 30 જૂન સુધીમાં તે નવી ઊંચાઈઓ સ્પર્શે તેવી અપેક્ષા છે.”

રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે,” હાલમાં 11 ટ્રેનોને

આઉટસોર્સ કરવામાં આવી રહી છે. 155 રેલ્વે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવ્યા છે. રેલવેની આઠ

હોસ્પિટલો અને 14 શાળાઓને પણ

આઉટસોર્સ કરવામાં આવી રહી છે. સ્ટેશનો અને ટ્રેનોની અંદર ખાદ્ય પદાર્થોના ગુણવત્તા

ધોરણો, સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. રેલવે ટ્રેક પર ફળદાયી વૃક્ષો વાવવા માટે વન

વિભાગ સાથે કરાર કરવામાં આવ્યો છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande