નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે
ગુરુવારે જણાવ્યું હતું કે,” મોદી સરકારે 11 વર્ષના શાસનમાં ટેકનોલોજીના ઉપયોગનું લોકશાહીકરણ કર્યું છે
અને વ્યાપાર ક્ષેત્ર માટે તેની શક્તિનો ઉપયોગ કર્યો છે, જેનાથી ભારત
વિશ્વનું અગ્રણી ડિજિટલ અર્થતંત્ર બન્યું છે.”
કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક્સપર લખ્યું છે કે, મોદી સરકારે
ટેકનોલોજીના ઉપયોગનું લોકશાહીકરણ કર્યું છે અને વ્યાપાર ક્ષેત્ર માટે તેની શક્તિનો
ઉપયોગ કર્યો છે, જેનાથી ભારત #11YearsOfDigitalIndia માં વિશ્વનું
અગ્રણી ડિજિટલ અર્થતંત્ર બન્યું છે. આરોગ્યસંભાળ હોય, શિક્ષણ હોય, વેપાર હોય કે
વાણિજ્ય હોય, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ ડિજિટલ ક્રાંતિ દ્વારા અર્થતંત્ર અને સમાજના દરેક ક્ષેત્રમાં
પરિવર્તન લાવ્યું છે.
ડિજિટલ ઇન્ડિયાની મુખ્ય સિદ્ધિઓ:
- આધાર: વિશ્વની
સૌથી મોટી ડિજિટલ આઈડીસિસ્ટમ: 140 કરોડથી વધુ લોકોને એક અનોખો 12-અંકનો આધાર નંબર
આપવામાં આવ્યો છે, જેનાથી સરકારી
સેવાઓનો લાભ લેવાનું સરળ બન્યું છે.
- ડિજિટલ ચુકવણીઓ:
ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ સમગ્ર દેશમાં ઝડપથી વિસ્તરી છે, જેનાથી
વ્યવહારોમાં પારદર્શિતા અને સુરક્ષા વધી છે.
- ડિજીલોકર: 52
કરોડથી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ સાથે, ડિજીલોકરે દસ્તાવેજ વ્યવસ્થાપનને સરળ અને સુરક્ષિત બનાવ્યું
છે.
- જીવન પ્રમાણ: 1૦
કરોડથી વધુ પેન્શનરોએ ડિજિટલ જીવન પ્રમાણપત્રનો ઉપયોગ કરીને તેમના જીવન
પ્રમાણપત્રની ચકાસણી માટે નોંધણી કરાવી છે.
- ઉમંગ એપ: 8.21
કરોડથી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ સાથે, ઉમંગ એપે સરકારી સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને
નાગરિકોનું જીવન સરળ બનાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ