ભારત-કેનેડા સંબંધોમાં સુધારો થવાની શક્યતા, જી-7 સમિટમાં વાતચીતની તક
નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.). ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં સુધારો થવાની શક્યતાઓ છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, બંને દેશો એકબીજા સાથે જોડાવા અને પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માર્ગો શોધી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ


નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.). ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં સુધારો થવાની શક્યતાઓ છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, બંને દેશો એકબીજા સાથે જોડાવા અને પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માર્ગો શોધી રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીનો ફોન આવ્યો હતો. તેમણે ભારતના વડા પ્રધાનને જી-7 સમિટમાં આમંત્રણ આપ્યું હતું, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ ફોન બંને નેતાઓ માટે ભારત-કેનેડા સંબંધો પર વિચાર કરવાની અને ભવિષ્યની દિશા નક્કી કરવાની તક પણ બન્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અને કેનેડા બંને જીવંત લોકશાહી છે અને કાયદાના શાસન પ્રત્યે સમાન પ્રતિબદ્ધતા ધરાવે છે.

જયસ્વાલે કહ્યું કે, ભારત અને કેનેડાની કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે આવી પદ્ધતિઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે જે સમયાંતરે પરસ્પર સુરક્ષા ચિંતાઓનું નિરાકરણ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande