નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.). આજે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન (બોઇંગ 787 ડ્રીમલાઇનર) અકસ્માતે, દેશના પાંચ સૌથી મોટા વિમાન અકસ્માતોની યાદ તાજી કરી દીધી.
213 લોકોના મોત
1 જાન્યુઆરી, 1978: મુંબઈથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન અરબી સમુદ્રમાં પડી ગયું. 213 લોકોના મોત. આ વિમાન દુબઈ જઈ રહ્યું હતું.
55 લોકોના મોત
26 એપ્રિલ, 1993: ઔરંગાબાદ એરપોર્ટ પર એક વિમાન ટ્રક સાથે અથડાયું. 55 લોકોના મોત. આ વિમાન મુંબઈ જઈ રહ્યું હતું.
349 લોકોના મોત
12 નવેમ્બર, 1996: હરિયાણાના ચરખી દાદરીમાં બે વિમાનો અથડાયા. 349 લોકોના મોત. આ વિમાનોમાંથી એક સાઉદી અરેબિયાનું અને બીજું કઝાકિસ્તાનનું હતું.
158 લોકોના મોત
22 મે, 2010: કર્ણાટકના મેંગલોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક વિમાન રનવે પરથી લપસી ગયું, ખાડામાં પડી ગયું અને બે ભાગમાં વિભાજીત થઈ ગયું. 158 મુસાફરોના મોત.
21 લોકોના મોત
07 ઓગસ્ટ 2020: કેરળના કોઝીકોડમાં એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન રનવે પરથી લપસી ગયું અને ક્રેશ થયું. 21 મુસાફરોના મોત. કોરોના દરમિયાન વંદે ભારત મિશન હેઠળ દુબઈથી ભારતીયોને લાવવામાં આવી રહ્યા હતા.
અને આજે (12 જૂન, 2025) - અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઇ. કેટલા લોકોના મોત થયા, ચિત્ર સ્પષ્ટ નથી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ