બોમ્બની ધમકી બાદ, એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). થાઇલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની નવી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાન AI-379 ને શુક્રવારે બોમ્બ ધમકી મળ્યા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. વિદેશી મીડિયા અહેવાલો અનુસાર, બો
એર ઇન્ડિયા


નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). થાઇલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની નવી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાન AI-379 ને શુક્રવારે બોમ્બ ધમકી મળ્યા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

વિદેશી મીડિયા અહેવાલો અનુસાર, બોમ્બ ધમકી મળ્યા બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. થાઇલેન્ડ એરપોર્ટના અધિકારીના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-379 ના તમામ 156 મુસાફરોને કટોકટી યોજના મુજબ વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પ્રારંભિક શોધખોળ પછી, અધિકારીઓને સંબંધિત એર ઇન્ડિયાના વિમાનમાં કોઈ બોમ્બ મળ્યો નથી. જોકે, એઓટી એ બોમ્બ ધમકી વિશે વિગતવાર માહિતી આપી નથી. એર ઇન્ડિયાએ હજુ સુધી ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો નથી.

ફ્લાઇટ ટ્રેકર ફ્લાઇટ રડાર 24 અનુસાર, વિમાન આજે સવારે 9.30 વાગ્યે (0230 GMT) ફુકેટ એરપોર્ટથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી, પરંતુ આંદામાન સમુદ્રની આસપાસ એક વિશાળ સર્કલ બનાવ્યું અને દક્ષિણ થાઇ ટાપુ પર પાછો ઉતર્યું. એરપોર્ટ કટોકટી યોજનાઓ સાથે આગળ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા, ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું, જેમાં 242 લોકોમાંથી 241 લોકો માર્યા ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande