એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના દાવાના સમાધાનમાં એલઆઈસી ની રાહત
-એલઆઇસીએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે રાહતની જાહેરાત કરી નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). જાહેર ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) એ, 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના અસરગ્રસ્ત પરિવારોને મદ
એલઆઈસી


-એલઆઇસીએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે રાહતની જાહેરાત કરી

નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). જાહેર ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) એ, 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા અને દાવાઓનો ઝડપથી નિકાલ કરવા માટે ઘણા ખાસ પગલાં જાહેર કર્યા છે. પ્રક્રિયાને સરળ બનાવવા માટે કંપનીએ ઘણા ધોરણોમાં છૂટછાટ આપી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, પોલિસીધારકના મૃત્યુની પુષ્ટિ કરતો કોઈપણ સરકારી રેકોર્ડ એટલે કે કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા એરલાઇન કંપની પાસેથી મળેલા વળતરના દસ્તાવેજને મૃત્યુના માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. આ માટે, તેઓ 022-68276827 અને એલઆઈસી હેલ્પલાઇન નંબર પર પણ કૉલ કરી શકે છે. વીમા કંપનીએ જણાવ્યું હતું કે દાવેદારો સહાય માટે તેમની નજીકની એલઆઈસી શાખા, ડિવિઝન ઓફિસ અથવા ગ્રાહક વિસ્તારનો સંપર્ક કરી શકે છે.

એલઆઇસીએ કહ્યું કે, તે વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યો તેમજ જમીન પર રહેલા નાગરિકોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છે. કંપની પીડિતોના પરિવારોને નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ એવી પણ ખાતરી આપી છે કે અસરગ્રસ્ત પરિવારો સુધી સક્રિય રીતે પહોંચવા અને સમાધાન પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વીમા કંપનીએ જણાવ્યું હતું કે વધુ માહિતી માટે કૃપા કરીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (સીસી), લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ઓફિસ, મુંબઈનો સંપર્ક કરો. ઇમેઇલ આઈડી: ed_cc@licindia.com www.licindia.in પર અમારી મુલાકાત લો અને કૃપા કરીને સંપર્ક કરો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande