આયુષ મંત્રાલય વૈશ્વિક શિખર સંમેલન, 'યોગ કનેક્ટ'નું આયોજન કરશે
નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમ તરીકે, આયુષ મંત્રાલય શનિવારે વિજ્ઞાન ભવનમાં હાઇબ્રિડ સ્વરૂપમાં વૈશ્વિક શિખર સંમેલન, ''યોગ કનેક્ટ''નું આયોજન કરશે. આ સમિટ ભારત અને વિદેશના યોગ ગુરુઓ, નીતિ નિર્માતાઓ, આરોગ્ય
'યોગ કનેક્ટ'


નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમ તરીકે, આયુષ મંત્રાલય શનિવારે વિજ્ઞાન ભવનમાં હાઇબ્રિડ સ્વરૂપમાં વૈશ્વિક શિખર સંમેલન, 'યોગ કનેક્ટ'નું આયોજન કરશે. આ સમિટ ભારત અને વિદેશના યોગ ગુરુઓ, નીતિ નિર્માતાઓ, આરોગ્ય નિષ્ણાતો, વ્યવસાયિક નેતાઓ, સંશોધકો અને વૈશ્વિક પ્રભાવકોના એક પ્રખ્યાત જૂથને એકત્ર કરશે. આ કાર્યક્રમનું સંકલન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યોગા એન્ડ નેચરોપેથી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે યોગ ક્ષેત્રની સર્વોચ્ચ સંશોધન સંસ્થા છે.

'યોગ કનેક્ટ' હાઇબ્રિડ ફોર્મેટમાં હશે, જેમાં 1,000 થી વધુ વ્યક્તિગત સહભાગીઓ તેમજ અગ્રણી આંતરરાષ્ટ્રીય યોગ સંસ્થાઓ અને સુખાકારી સમુદાયોના વર્ચ્યુઅલ ઉપસ્થિતો ભાગ લેશે. બહેરીન, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને દક્ષિણ કોરિયા સહિત ચારથી વધુ દેશોના નિષ્ણાતો સમિટમાં હાજરી આપશે.

આયુષ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, સમિટમાં 'યોગ ઇમ્પેક્ટ' રિપોર્ટનું પ્રકાશન થશે જેમાં છેલ્લા દાયકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અસરનું મૂલ્યાંકન કરતો રાષ્ટ્રવ્યાપી અભ્યાસ શામેલ હશે. આ રિપોર્ટ શિક્ષણવિદો, સંશોધકો અને જાહેર આરોગ્ય વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે તે દેશભરમાં આઈડીવાય પહેલની પહોંચ, અસરકારકતા અને પરિવર્તનશીલ અસર વિશે માહિતી પ્રદાન કરશે. આ ઉપરાંત, આ પ્રસંગે મૂળ ભારતીય વૃક્ષોના મહત્વ અને તેમની સુસંગતતા પર પ્રકાશ પાડતી એક પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે.

આ કોન્ફરન્સમાં વિવિધ વિષયોના સત્રોનો સમાવેશ થશે જેમાં,

-બિન-ચેપી રોગોના નિવારણ માટે યોગ

-સામાન્ય યોગ પ્રોટોકોલ પર અભ્યાસ,

-જીવનના વિવિધ તબક્કામાં યોગ,

-મહિલા સ્વાસ્થ્ય માટે યોગ.

સ્વામી બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, એચઆર નાગેન્દ્રજી, પરમ પૂજ્ય બિખ્ખુ સંઘસેના અને ભારત ભૂષણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

નોંધનીય છે કે, 'યોગ કનેક્ટ' ભારતના વૈશ્વિક યોગ ચળવળના દસ વર્ષ પૂર્ણ થવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે 2014 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. યુનેસ્કો દ્વારા યોગને ભારતની દુનિયાને ભેટ પણ માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande