એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ, હવે 19 જૂને
નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચનાર બહુપ્રતિક્ષિત એક્સિઓમ-4 વાણિજ્યિક મિશન હવે 19 જૂને લોન્ચ થશે. આ મિશન ભારત માટે ગર્વની ક્ષણ હશે, કારણ કે શુભાંશુ શુક્લા રાકેશ શ
ઈસરો


નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચનાર બહુપ્રતિક્ષિત એક્સિઓમ-4 વાણિજ્યિક મિશન હવે 19 જૂને લોન્ચ થશે. આ મિશન ભારત માટે ગર્વની ક્ષણ હશે, કારણ કે શુભાંશુ શુક્લા રાકેશ શર્મા પછી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પગ મૂકનાર બીજા ભારતીય હશે. અગાઉ, શુભાંશુનું એક્સિઓમ-4 મિશન ઘણી વખત મુલતવી રાખવામાં આવ્યું છે.

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહે શનિવારે એક્સ પોસ્ટ પર જણાવ્યું હતું કે, એક્સિઓમ-4 મિશનની લોન્ચિંગ તારીખ હવે 19 જૂન માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. સ્પેસએક્સ ટીમે પુષ્ટિ આપી છે કે, અગાઉ લોન્ચિંગ મુલતવી રાખનારા તમામ મુદ્દાઓ યોગ્ય રીતે ઉકેલાઈ ગયા છે.

આ મિશન 19 જૂને ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન-9 રોકેટ પર ઉડાન ભરશે. આ મિશન ભારતના માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જેમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનો આંતરરાષ્ટ્રીય ટીમમાં સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, એક્સિઓમ-4 મિશન 11 જૂનની સાંજે લોન્ચ થવાનું હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેને અટકાવવું પડ્યું હતું. અગાઉ આ મિશન 29 મે, 8 જૂન અને 10 જૂને કોઈને કોઈ ખામીને કારણે મુલતવી રાખવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande