લવ જેહાદના આરોપનો, આમિર ખાને યોગ્ય જવાબ આપ્યો
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) ''મિસ્ટર પરફેક્શનિસ્ટ'' આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા અને બીજી પત્ની કિરણ રાવ બંને હિન્દુ હતા અને ગૌરી પણ એક જ સમુદાયની છે. આ કારણે, આમિર ખાન પર ઘણીવાર ''લવ જેહાદ''નો આરોપ મૂકવામાં આવ્યો છે. જ્યારે તે તાજેતરમાં
લવ


નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા અને બીજી પત્ની કિરણ રાવ બંને હિન્દુ હતા અને ગૌરી પણ એક જ સમુદાયની છે. આ કારણે, આમિર ખાન પર ઘણીવાર 'લવ જેહાદ'નો આરોપ મૂકવામાં આવ્યો છે. જ્યારે તે તાજેતરમાં એક શોમાં દેખાયો ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં આનો જવાબ આપ્યો.

'તમે લવ જેહાદ કરી રહ્યા છો... 'પીકે'માં તમે બતાવ્યું કે, હિન્દુ છોકરી માટે પાકિસ્તાની મુસ્લિમ સાથે લગ્ન કરવા યોગ્ય છે. આ વિશે તમારું શું કહેવું છે? આમિરે કહ્યું, જ્યારે બે ધર્મના લોકો એક સાથે આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે, તેમના હૃદયમાં એકબીજા માટે સાચો પ્રેમ હોય છે. આ લવ જેહાદ નથી. હૃદયનું જોડાણ ધર્મથી ઉપર છે. દર વખતે જ્યારે બે અલગ અલગ ધર્મના લોકો એક સાથે આવે છે, ત્યારે તે જરૂરી નથી કે તેની પાછળ કોઈ ષડયંત્ર હોય. તે માનવતાની વાત છે. જો બે હૃદય એક થાય છે, તો ધર્મ તેની સીમા બની શકતો નથી.

તેમણે કહ્યું, જો બે લોકો ખરેખર એકબીજાને પ્રેમ કરે છે, તો ધર્મ તેમની વચ્ચે દિવાલ બની શકતો નથી. મારો પોતાનો પરિવાર આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મારી બહેન નિખતે હિન્દુ સંતોષ હેગડે સાથે લગ્ન કર્યા છે, તો શું તમે તેને લવ જેહાદ કહેશો? મારી નાની બહેન ફરાને હિન્દુ રાજીવ દત્તા સાથે લગ્ન કર્યા છે, તો શું તે પણ લવ જેહાદ છે? મારી પુત્રી આયરાએ તાજેતરમાં એક હિન્દુ છોકરા નુપુર શિખરે સાથે લગ્ન કર્યા છે. તો, મારા માટે સૌથી મોટી વાત ધર્મ નહીં, પણ પ્રેમ છે. સાચો સંબંધ હૃદયથી બને છે, કોઈ ધર્મ કે જાતિથી નહીં.

આમીર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' 20 જૂને રિલીઝ થઈ રહી છે. આમાં, તે દિવ્યાંગ બાળકોના બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. જેનેલિયા ડિસોઝા ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande