નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) અમિતાભ કાંતે જી-20 શેરપા પદ પરથી,
રાજીનામું આપ્યું છે. તેમને જુલાઈ 2022 માં ભારતના જી-20 શેરપા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતે જી-20 નું પ્રમુખપદ
સંભાળ્યું તેના થોડા મહિના પહેલા અમિતાભ કાંતની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે
તેમના 45 વર્ષના સરકારી
સેવા દરમિયાન ઘણી જવાબદારીઓ સંભાળી છે.
અમિતાભ કાંતે સોમવારે 'એક્સ' પોસ્ટ પર લખ્યું કે,” તેમણે નવી તકો શોધવા અને જીવનમાં એક
નવો અધ્યાય શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજીનામા સાથે, તેમણે ભારતના જી-20 શેરપા તરીકે
તેમનું રાજીનામું સ્વીકારવા બદલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.”
તેમણે લખ્યું છે કે,” વડાપ્રધાને મને ઘણી વિકાસલક્ષી પહેલો
આગળ વધારવા અને ભારતના વિકાસ, વિકાસ અને પ્રગતિમાં યોગદાન આપવાની તક આપી.”
તેમણે આગળ લખ્યું કે,” હું મારા બધા સાથીઓ, સાથીદારો અને
મિત્રોનો ધીરજ, સમજણ અને સમર્થન
બદલ આભારી છું. હવે હું મુક્ત ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ્સ, થિંક ટેન્ક અને શૈક્ષણિક સંસ્થાઓને સુવિધા અને સમર્થન આપીને
વિકસિત ભારત તરફની ભારતની પરિવર્તનકારી યાત્રામાં યોગદાન આપવા માટે ઉત્સુક છું. આ
અદ્ભુત યાત્રાનો, ભાગ બનવા બદલ આપ સૌનો આભાર. મારી લિંક્ડ-ઇન પોસ્ટ સંલગ્ન છે.”
અમિતાભ કાંતે, તેમની કારકિર્દીના મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર
પ્રકાશ પાડ્યો અને 2023 માં ભારતના જી-20 પ્રમુખપદને યાદ
કર્યું. તેમણે કહ્યું,
ભારતે વૈશ્વિક સમાનતા અને વૈશ્વિક દક્ષિણના અવાજ પ્રત્યેની ભારતની
પ્રતિબદ્ધતાને પૂર્ણ કરીને આફ્રિકન યુનિયનને જી-20 માં સફળતાપૂર્વક એકીકૃત કર્યું.
કાંતે સરકારની કેટલીક મુખ્ય પહેલોનું નેતૃત્વ કર્યું, જેમ
કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, મેક ઇન ઇન્ડિયા
અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, જેણે દેશને વિશ્વ
બેંક રેન્કિંગમાં 79 સ્થાન ઉપર
ચઢવામાં મદદ કરી.
કેરળ કેડરના 1980 બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી, નીતિ આયોગના
ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અમિતાભ કાંતે ત્રણ વર્ષ સુધી સેવા આપ્યા બાદ, જી-20 શેરપા પદ પરથી
રાજીનામું આપી દીધું છે. કાંતે 45 વર્ષ સુધી સરકારમાં સેવા આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ