શ્રીહરિકોટા, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના શ્રીહરિકોટામાં આવેલા ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના સતીશ ધવન સ્પેસ સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રવિવારે મધ્યરાત્રિએ તમિલનાડુ કમાન્ડ કંટ્રોલ સેન્ટરને કેન્દ્રમાં આતંકવાદીઓની હાજરી અંગે ફોન કોલ મળ્યો હતો.
આ પછી, શ્રીહરિકોટામાં સુરક્ષા કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ફોન કોલમાં કહેવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓએ દરિયા કિનારાથી ઘૂસણખોરી કરીને કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આના પર, આજે સવારે કેન્દ્રની આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સીઆઈએસએફ ટીમો અને પોલીસ દળો આમાં સામેલ છે. કોસ્ટ ગાર્ડ દળોએ દરિયાઈ માર્ગો પર પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
નાયડુપેટા ડીએસપી ચેન્ચુ બાબુની આગેવાની હેઠળ પોલીસે તેમાં ભાગ લીધો હતો. સર્ચ ઓપરેશન પછી સુરક્ષા દળોએ તારણ કાઢ્યું કે, આ ધમકીભર્યો ફોન કોલ બદમાશોનું કામ છે. તેમ છતાં, સતીશ ધવન સ્પેસ સેન્ટરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/નાગરાજ રાવ/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ