જમ્મુ અને કાશ્મીરની ચેરી વૈશ્વિક સ્તરે, પ્રથમ આંતરરાષ્ટ્રીય કન્સાઇન્મેન્ટને લીલી ઝંડી આપવામાં આવી
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના બાગાયતી ક્ષેત્રને પ્રોત્સાહન આપતા, કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ (એપીડા) ના નેજા હેઠળ પ્રીમિયમ ગુણવત્તાવાળા કાશ્મીરી ચેરીના પ્રથમ આંતરરાષ્ટ્રીય કન્
મપાીગ


નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના બાગાયતી ક્ષેત્રને

પ્રોત્સાહન આપતા, કૃષિ અને

પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ (એપીડા) ના નેજા હેઠળ

પ્રીમિયમ ગુણવત્તાવાળા કાશ્મીરી ચેરીના પ્રથમ આંતરરાષ્ટ્રીય કન્સાઇન્મેન્ટને

સત્તાવાર રીતે લીલી ઝંડી આપવામાં આવી, જે વૈશ્વિક તાજા ઉત્પાદન બજારોમાં ઘાટીના પ્રવેશ તરફ એક

ઐતિહાસિક પગલું છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સોમવારે, 'એક્સ' પોસ્ટ પર જારી

કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” જમ્મુ અને કાશ્મીરથી પ્રીમિયમ ચેરીનો પ્રથમ

વ્યાપારી કન્સાઇન્મેન્ટ સાઉદી અરેબિયા અને યુએઈમાટે રવાના થયો

છે. આનાથી આપણા ચેરી ખેડૂતો માટે એક મોટું બજાર ખુલ્યું છે.જેમને હવે તેમના

ઉત્પાદન માટે વધુ સારા ભાવ મળશે.”

પિયુષ ગોયલે વધુમાં લખ્યું છે કે,” મોદી સરકાર ભારતને

પ્રીમિયમ કૃષિ ઉત્પાદનોના વૈશ્વિક સપ્લાયર તરીકે સ્થાપિત કરવા માટે લોજિસ્ટિક્સ

સંબંધિત ખામીઓ દૂર કરવામાં રોકાયેલી છે.”

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત

કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ (એપીડા) ના નેજા હેઠળ આ

સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તાજી ચેરીનો આ પહેલો જથ્થો સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી

અરેબિયામાં નિકાસ કરવામાં આવી રહ્યો છે, જે કાશ્મીરી બાગાયતી ઉત્પાદનો માટે એક સંરચિત વૈશ્વિક નિકાસ

પાઇપલાઇનની શરૂઆત દર્શાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande