નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલાઈડસે
આજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ગ્રાન્ડ ક્રોસ ઓફ
ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III'
થી સન્માનિત
કર્યા. આ પુરસ્કાર તેમને બંને દેશો વચ્ચે લાંબા ગાળાની મિત્રતા અને સહયોગના પ્રતીક
તરીકે આપવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક્સપર ફોટો શેર
કર્યો અને તેને ભારત-સાયપ્રસ મિત્રતા અને સંયુક્ત વૈશ્વિક દ્રષ્ટિકોણનું સન્માન
ગણાવ્યું. આ સન્માન બંને દેશો વચ્ચે કાયમી અને વિશ્વસનીય સંબંધોનો પુરાવો છે.
આ સન્માન સ્વીકારતા, પ્રધાનમંત્રી મોદીએ તેને 140 કરોડ ભારતીયોને સમર્પિત કર્યું. તેમણે
રાષ્ટ્રપતિ, સરકાર અને
સાયપ્રસના લોકોનો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આ સન્માન ભારતની
પ્રાચીન વિચારધારા 'વસુધૈવ કુટુંબકમ' ની વૈશ્વિક
માન્યતા છે, જે શાંતિ અને
સમૃદ્ધિ તરફના આપણા પ્રયાસોને પ્રેરણા આપે છે.”
પ્રધાનમંત્રીએ તેને ભારત-સાયપ્રસ સંબંધોને વધુ મજબૂત અને
બહુપરીમાણીય બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવતા તેમણે કહ્યું કે,” આ પુરસ્કાર
શાંતિ, સાર્વભૌમત્વ અને
વિકાસ પ્રત્યે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ