ઈરાન અને ઈઝરાયલે આંતરરાષ્ટ્રીય આહ્વાનની અવગણના કરી, મિસાઈલ હુમલા ચાલુ
તેહરાન (ઈરાન)/તેલ અવીવ (ઈઝરાયલ), નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.). ઈઝરાયલ અને ઈરાન શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય આહ્વાન ને અવગણીને એકબીજાની ભૂમિ પર સતત હવાઈ હુમલા કરી રહ્યા છે. ગઈકાલે બંનેએ વસ્તીવાળા વિસ્તારો પર હુમલો કર્યો. આ કારણે ઈરાન-અમેરિકા પરમાણુ વાટાઘા
ઈઝરાયલે ઈરાનમાં તેલ રીફાઈનરી પર હુમલો કર્યો


તેહરાન (ઈરાન)/તેલ અવીવ (ઈઝરાયલ), નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.). ઈઝરાયલ અને ઈરાન શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય આહ્વાન ને અવગણીને એકબીજાની ભૂમિ પર સતત હવાઈ હુમલા કરી રહ્યા છે. ગઈકાલે બંનેએ વસ્તીવાળા વિસ્તારો પર હુમલો કર્યો. આ કારણે ઈરાન-અમેરિકા પરમાણુ વાટાઘાટો થઈ શકી નહીં.

અમેરિકાના ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અખબારના સમાચાર મુજબ, ઈઝરાયલ અને ઈરાને ગઈકાલે એકબીજાની ધરતી પર વસ્તીવાળા વિસ્તારો પર મિસાઈલ હુમલા કર્યા. બંને પક્ષોએ તણાવ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય આહ્વાન ની અવગણના કરી છે.

ઈરાનના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય પર તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે રવિવારે યોજાનારી વાટાઘાટો અધિકારીઓ દ્વારા રદ કરવામાં આવ્યા બાદ, રાજદ્વારી માર્ગ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો હોય તેવું લાગે છે. ઈઝરાયલે કહ્યું કે, શુક્રવારે કરવામાં આવેલા શક્તિશાળી હુમલાઓનો હેતુ ઈરાનના પરમાણુ માળખાને નષ્ટ કરવાનો હતો.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, લડતા દેશોને લડાઈમાંથી પીછેહઠ કરવા વિનંતી કરી. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, ઈરાન અને ઈઝરાયલે એક કરાર પર પહોંચવું જોઈએ. હાલમાં ઘણા ફોન કોલ્સ અને મીટિંગો ચાલી રહી છે. દરમિયાન, ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે ચેતવણી આપી હતી કે, જો બોમ્બમારો બંધ નહીં થાય, તો તેઓ ઈઝરાયલ સામે હુમલાઓ વધારશે.

ઈઝરાયલના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઈઝરાયલ કોઈપણ કિંમતે ઈરાન પર એક ક્ષણ માટે પણ તેના હુમલાઓ બંધ કરશે નહીં. વરિષ્ઠ ઈરાની અધિકારીઓ કહે છે કે, તેમને બીજા રાઉન્ડની વાતચીત પહેલાં ઈઝરાયલ હુમલો કરશે તેવી અપેક્ષા નહોતી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande