પોરબંદર, 17 જૂન (હિ.સ.)તાજેતરમાં કુતિયાણા બાયપાસ પર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ત્યાર બાદ કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજાએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખી આ સ્થળ પર ગતિ અવરોધક મુકવા રજૂઆત કરી છે.
આ રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે, પોરબંદર-રાજકોટ હાઈવે પર ઓવરબ્રિજ મંજુર કરવામાં આવ્યો છે જેની પ્રક્રિયા હાલ ચાલુ છે. પરંતુ કુતિયાણા હાઇવે પર અવાર-નવાર અકસ્માત સર્જાય છે. જેમાં તાજેતરમાં એક અકસ્માતમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા જેથી હાઇવેથી કુતિયાણાને જોડતા તમામ રસ્તાઓ પર ગતિ અવરોધક મુકવા રજુઆત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya