પોરબંદર, 17 જૂન (હિ.સ.)પોરબંદરમાં રહેતા અરજદાર મંથનભાઇ પરેશભાઈ જોષીએ ગત તા.16/06/2025 ના રોજ ક. 20:45દરમિયાન નેત્રમ કમાન્ડ ખાતે આવી તેમણે તેમનું મોટર સાયકલ પેશન પ્રો. રજી નં. GJ 16 BE 5553 વાળુ વાધેશ્વરી પ્લોટ, ડો.જાડેજા સા. ની હોસ્પીટલ સામે પાર્ક કર્યું હતું જે ગુમ થયેલું હોવાની અરજી કરી હતી આ બાબતે નેત્રમ ઇન્ચાર્જ દ્વારા નેત્રમ સ્ટાફને આ મોટર સાયકલ શોધવા માટે સુચના આપતા નેત્રમ સ્ટાફ દ્વારા અરજદારને પુછપરછ કરી વધુ તાપસ કરતા મોટરસાયકલ જ્યાંથી ગુમ થયું હતું તે સ્થળે અન્ય એક પેશન પ્રો. મોટરસાયકલ જેના રજી નં. GJ 25 K 9165 મળી આવ્યું હતું.
જેથી VISWAS PROJECT અંતર્ગત ANPR તથા વાહનની ડીટેઈલ ચેક કરતા સ્થળ પર પડેલ મો.સા.ના માલીકના મોબાઇલ નંબર પર કોન્ટેક કરતા તેઓ ભુલથી અરજદારનુ મો.સા. લઈ ગયેલ હોય જેથી તેઓને નેત્રમ ખાતે બોલાવી બંન્ને મુળ માલીકને બાઇક પરત કરાવેલ જેથી તેણે નેત્રમ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya