મોડાસા, 18 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં લાશો મળવાનો સિલસિલો યથાવત છે. સોમવારે મોડી રાત્રે મોડાસાના ટીંટોઈ નજીક રેલ્વે લાઈન નજીક એક અજાણ્યા પુરુષની લાશ મળી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અસારવા ઉદેપુર બ્રોડગેજ રેલ્વે લાઈન પર ટીંટોઈ નજીક સોમવારે મોડી રાત્રીએ અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની માહિતી પોલીસને મળતાં ટીંટોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના ડાબા હાથ પર નટવરસિંહ નામ કોતરેલું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. અજાણ્યો શખ્સનું મોડી રાત્રીએ ટ્રેનની હડફેટે આવી મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ