મોડાસા, 18 જૂન (હિ.સ.) અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોમાં સરપંચોની ચૂંટણી માટે-૨૫'મી જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી રૂગનાથપુર ગામ, અને લાલપુરગામ, બન્ને ગામોની અલગ પંચાયતનું વિભાજન થતા રૂગનાથપુર ગામ પંચાયતમાં સમાવેશ થતા અને પંચાયતનું પ્રથમ વિભાજન બાદ પ્રથમ વખત સરપંચની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રૂગનાથપુર ગ્રામ પંચાયત સરપંચ બેઠક બિન અનામત સામાન્ય સીટ જાહેર થઈ કરવામાં આવી છે. જેથી સરપંચની ચૂંટણી માટેના હરીફ ઉમેદવાર(૧)જમુનાબેન નરેન્દ્રસિંહ ચૌહાણ(૨)પારસબેન દિલીપસિંહ ચૌહાણ આમ બન્ને હરીફ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ અને કાટાની ટક્કર સમાન જ્યારે ચૂંટણી રસપ્રદ બની છે.
ત્યારે બન્ને ગામોમાં રાજકીય કચવાટ અંદરો અંદર શરૂ થઈ ગયો છે જેથી જોવાનું રહ્યું કે તમામ યુવા મતદારો કયા શિક્ષિત ઉમેદવાર અને સારું વ્યક્તિત્વ ધરાવતા બન્ને ગામોને વિકાસના પંથ તરફ લઈ જશે અને સતત લોકોના કામ માટે પ્રયત્નશીલ રહેશે તેવા સરપંચ માટેના બન્ને ઉમેદવારોમાંથી કોના ઉપર સરપંચ તરીકે પસંદગીનો કળશ ઉતારશે તે માટે બન્ને ગામોના ગ્રામજનોની આ રસપ્રદ અને કાંટાની ટક્કર સમાન સરપંચની ચૂંટણીને લઈને શું... રાજકીય પરિણામો આવશે... ? તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઇ રહી છે.....
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ