મોડાસા, 18 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆતે તોફાની બની રમઝટ બોલાવી છે ત્યારે ક્યાંક ભારે તો ક્યાંક માપનો વરસાદ વરસી રહ્યો છે.
અરવલ્લી જીલ્લામાં પણ વરસાદે કંઈક આવી જ સ્થિતિ ઊભી કરી છે. મોડાસા તાલુકાના મોતીપુરા ગામે અહીં વસતા માલધારી સમાજના પશુપાલકો માટે વરસાદ આફત બનીને વરસ્યો હતો. જેમાં માલધારી સમાજના પાંચ જેટલા પશુઓના મોત નીપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.મોડાસાની જંબુસર ગ્રામ પંચાયતના મોતીપુરા ગામે વરસાદી માહોલમાં વીજળી પડતાં આઠ જેટલા ઘેટા બકરાઓના મોત નીપજ્યા હતાં. મોતીપુરા ગામની સીમમાં રહેતા માલધારી સમાજના લોકો 250 જેટલા પશુઓ સાથે અહીં રોકાયા હતા મોડી રાત્રે અચાનક વાવંટોળ સાથે ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસતાં વીજળી પડવાથી પશુપાલકોને નુકસાન પહોંચ્યું હતું. પશુઓ પર જીવન નિર્વાહ કરતા માલધારીઓ હવે સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ