ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં પ્રખ્યાત હિન્દી ઉપન્યાસકાર દેવકીનંદન ખત્રીજીના જન્મજયંતિ નિમિત્તે સેમિનારનું આયોજન
ભાવનગર 18 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં ૧૮-૦૬-૨૦૨૫ ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી ઉપન્યાસકાર દેવકીનંદન ખત્રીજીના જન્મજયંતિ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી ઉપન્યાસકાર દે
સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભાવનગર 18 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં ૧૮-૦૬-૨૦૨૫ ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી ઉપન્યાસકાર દેવકીનંદન ખત્રીજીના જન્મજયંતિ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી ઉપન્યાસકાર દેવકીનંદન ખત્રીજીનો જન્મ ૧૮ જૂનના રોજ થયો હતો, તે જ પ્રસંગે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવકીનંદન ખત્રીજીના જીવન પર આધારિત ચર્ચામાં અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે દેવકીનંદન ખત્રીજીના જીવનયાત્રા પર આધારિત ક્વિઝ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. સાચા જવાબ આપનારાઓને સ્થળ પર જ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

ચર્ચાના વક્તાઓને ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર દ્વારા સ્મૃતિચિહ્નો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે, અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્માએ તમામ વક્તાઓને અભિનંદન આપ્યા અને ઉપસ્થિતોને સરકારી કામમાં શક્ય તેટલો રાજભાષા હિન્દીનો ઉપયોગ કરવા આગ્રહ કર્યા. આ જ પ્રસંગે, મંડળ રેલ પ્રબંધક શ્રી રવીશ કુમારે આ અદ્ભુત કાર્યક્રમ માટે રાજભાષા વિભાગની પ્રશંસા કરી અને કહ્યું કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ જેથી વધુને વધુ અધિકારીઓ અને કર્મચારીઓ રાજભાષા હિન્દીમાં કામ કરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત થાય, અને દરેકને પુસ્તક વાંચનમાં રસ વધે. મંડળ રેલ પ્રબંધક રવીશ કુમારના સક્ષમ માર્ગદર્શન હેઠળ અને અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્માના સક્ષમ નેતૃત્વ હેઠળ, રાજભાષા વિભાગ વિવિધ પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે. ઉપરાંત, સમગ્ર ભાવનગર મંડળમાં રાજભાષાના પ્રચારમાં નોંધપાત્ર વધારો થયો છે.

આભાર વ્યક્ત કરતી વખતે, રાજભાષા અધિકારી રામપ્રીત મૌર્યએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો. વરિષ્ઠ અનુવાદક શ્રી પરેશ બી મજીઠિયા અને સંજીવ કુમાર ઝા, જુનિયર અનુવાદક નરપત સિંહે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ અનુવાદક પરેશ બી મજીઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande