પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદરમા બીમારીથી કંટાળી એક વૃધ્ધાએ એસીડ પી આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી. છાયા એસસીસી રોડ પર રહેતા નર્મદાબેન હાજાભાઇ રાવત (ઉ.વ. 71) નામના વૃધ્ધાને કીડનીની બિમારી હોય શરિરમાં સતત દુ:ખાવો થતો હોય આથી કંટાળી એસીડ પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનુ મોત થયુ હતુ. આ બનાવને લઇ મૃતકના પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya